શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By જનકસિંહ ઝાલા|

શાહરૂખ પણ બની શકતા હતા ઈડિયટ

N.D
વાત જોકે ફિલ્મના નિર્દેશક પોતે કહી રહ્યા છે, તેથી તેમની વાત પર ભરોસો કરી શકાય છે. આવતીકાલે રજૂ થવા જઈ રહેલ ફિલ્મ '3 ઈડિયટ્સ'ના નિર્દેશક રાજકુમાર હીરાનીનુ કહેવુ છે કે તેમને પોતાની આ ફિલ્મમાં શાહરૂખને પણ લેવાનો વિચાર કર્યો હતો. શાહરૂખ ઉપરાંત હીરાનીએ ઘણા મોટા અભિનેતાઓ વિશે વિચાર્યુ હતુ. જે શક્ય ન બની શક્યુ. તેમણે કહ્યુ કે આમિર ખાનને લેવાનો નિર્ણય કરતા જ કરીનાને લેવાનુ પણ ફાઈનલ કરી નાખ્યુ.

આ ઉપરાંત તેમણે કહ્યુ કે કલાકારોની પસંદગી કરતા પહેલા છ મહિના સુધી દેશભરમાં કલાકારો શોધ્યા, તેમના ઓડિશન પણ લીધા, પરંતુ વાત જામી નહી.

અભિનેતાઓથી વિરુધ્ધ અભિનેત્રીઓ માટે તેમણે વધુ શોધ ન કરી. તેમણે કહ્યુ કે આમ તો મે ઘણી અભિનેત્રીઓ વિશે વિચાર્યુ હતુ પરંતુ કોઈની સાથે વાતચીત ન કરી. જો કે તેઓ પોતાના ચાર મુખ્ય કલાકારો - આમિર ખાન, આર. માધવન, શરમન જોશી અને કરીના કપૂરથી ખુશ લાગી રહ્યા છે. તેમણે કહ્યુ કે આમનો રોલ ડબલ છે તેથી અમારે વધુ સારા કલાકારોની પણ જરૂર હતી.