શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By નઇ દુનિયા|

શાહિદ-કરીના, ગુસ્સો ઓગળી રહ્યો છે ?

IFM
એવુ લાગે છે કે કપૂર જોડી એટલે કે શાહિદ અને કરીના હવે પોતાનો ગુસ્સો છોડીને સારા સંબંધો બાંધવાના પ્રયત્નો કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા શાહિદે એક ટીવી કાર્યક્રમમાં આપેલ મુલાકાતમાં સ્વીકાર્યુ છે કે તેના જીવનમાંથી કરીનાનુ જવુ એક દુ:ખદ ઘટના જેવુ હતુ. તે એ પણ વાત સ્વીકારે છે કે કપૂર ખાનદાનની આ સુંદર યુવતી એક રીતે તેની કમજોરી બની ગઈ હતી અને તેને લઈને તે ભાવનાત્મક રૂપે વધુ સંવેદનશીલ હતા. જો કે તેણે એ વાતનો ઈંકાર કર્યો કે સતત ફ્લોપ જતી તેની ફિલ્મોને કારણે કરીના તેને છોડીને જતી રહી. તેણે કહ્યુ કે ફિલ્મોની સફળતા-નિષ્ફળતા તો આવતી-જતી વસ્તુ છે.

બીજી બાજુ કરીનાએ પણ એક ટીવી ઈંટરવ્યુમાં ફિલ્મ 'કમીને' ના વખાણ કર્યા છે. જો કે બેબોએ સીધા સાદા શાહિદ વિશે કશુ કહ્યુ નહી, પણ એક વાત કબૂલી કે તેને ફિલ્મ ગમી. દેખીતુ છે કે પોતાના પૂર્વ પ્રેમી વિશે બોલીને એ વર્તમાન પ્રેમીને નારાજ કરવા નથી માંગતી. જો કે આ બંનેની વાતો પરથી લાગે છે કે જૂની વાતો ભૂલીને બંને નવેસરથી પોતાના સંબંધોને આગળ વધારી શકે છે. એ જરૂરી એટલા માટે પણ છે કે બંનેની જોડીને ફિલ્મ 'જબ વી મેટ'માં લોકોએ ખૂબ જ પસંદ કરી હતી.