મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 30 મે 2014 (13:20 IST)

સુનીલના પરત ફરવાથી ખુશી થશે :કપિલ શર્મા

સુનીલના પરત ફરવાથી ખુશી થશે :કપિલ શર્મા

કોમેડી નાઈટસ વિશ કપિલ દ્વ્રારા ઘરઘરમાં જાણીતો બની ગયેલો કોમેડિયન કપિલ શર્માએ કહ્યું હતું કે,તેના પૂર્વ સહયોગી હાસ્ય કલાકાર સુનીલ ગ્રોવરે શોમાં  પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેનું કહેવું છે કે શોમાં ગુત્થીનું બીજીવાર સ્વાગત કરવા તે ફૂલ્યો સમાશે નહી.
 
સુનીલે કપિલના આ શોમાં પડોશણ ગુત્થીની ભૂમિકા ભજવીને શોને ખૂબ લોકપ્રિય બનાવ્યો હતે. તેણે તાજેતરમાં જ કપિલ સાથે મુલાકાત કરી હતી.તેણે જણાવ્યું હતું કે લંડનથી આવેલા મારા એક મિત્ર સાથે હું શહેરની હોટલમાં ગયો હતો. તે સમયે સુનીલનો મારી સાથે ભેટો થઈ ગયો હતો. અમે વાતચીત કરી અને સુનીલે કહ્યું હતું કે તે શોમાં પરત પરવા માંગે છે. 
 
કપિલે જણાવ્યું હતું કે મેં સુનીલનો આગ્રહ કલર્સ ચેનલ સુધી પહોંચાડી દીધો છે. હવે તે તેના અને ચેનલ વચ્ચેની વાત છે. મારી વાત કરું તો સુનીલના પરત આવવાથી નમે ખુશી થશે તે શોના મહત્વપૂર્ણ અવયવો પૈકીનો એક હતો .
 
તેણે ઉમેર્યું હતું કે કીકૂ શારદા અલી અસગર ઉપાસના સિંહ ચંદન પ્રભાકર અને સુમોના ચકર્વતીએ શોને આગળ વધાર્યો છે. સુનીલ જો શોમાં પરત આવ્યો હોય તો તેનું હાર્દિક સ્વાગત છે. ઉલ્લેખનીય છે કે સુનીલે પ્રતિસ્પર્ધી ચેનલ પર પોતાનો હાસ્ય શો મેડ ઈન ઈંડિયા લોંચ કર્યો હતો. જે દર્શકોના ખાસ પસંદ આવ્યો. નહોતો.
 
કપિલ વજન ઘટાડશે. 
 
ટૂંક સમયમાં જ મોટા પડદા પર દેખાનાર કપિલ શર્માને યશરાજ ફિલ્મની ઓફિસમાં બોલાવામાં આવીને એક મહિનામાં  ઓછામાં ઓછું 15 કિલો વજન ઘટાડવાનું કહેવામાં આવ્યું છે. વર્ષોથી હીરો બનવાનું સપનું સાકાર કરવા માટે કિલ હાલમાં પોતાના શોના વધુને વધુ એપીસોડનું શૂટિંગ કરવામાં લાગ્યો છે. વજન ઓછું કરવા કપિલે એક ડાક્ટરની નિમણૂક પણ કરી છે. જે સવારથી લઈને સાંજ સુધી તેની સાથે રહે છે અને જમવાની આદત પર નિયંત્રણ રાખવાનું કામ કરે છે.