મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

સેફ અને કરીનાના લગ્નથી શર્મિલાને કોઈ વાંધો નથી

IFM
બોલીવુડ અભિનેતા સેફ અલી ખાન અને ફિલ્મ અભિનેત્રી કરીના કપૂરના લગ્નને લઈને માતા શર્મિલા ટેગોરને કોઈ વાંધો નથી, આ બંને ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાશે. આ ખુશખબર સેફ અલી ખાનની માતા શર્મિલા ટેગોરે જોધપુરમાં આપી.

IFM
સેફ અને કરીનાની કેમેસ્ટ્રી લાંબા સમયથી સારી ચાલવાને કારણે ટૂંક સમયમાં જ તેમના લગ્ન કરવાની ચર્ચાઓ થઈ રહી હતી. પરંતુ કપૂર ખાનદાન અને પટૌડી ખાનદાન તરફથી ક્યારેય લગ્ન થવાની વાતને સ્વીકારાઈ નહોતી. પરંતુ સેંસર બોર્ડની બેઠકમાં ભાગ લેવા જોઘપુર આવેલી શર્મિલા ટૈગોરે રવિવારે મીડિયા સાથે વાતચીત કરતા સ્વીકાર કર્યુ કે બંનેના લગ્નથી તેમને કોઈ વાંધો નથી અને બંને ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાશે.