1993 મુંબઈ બ્લાસ્ટમાં કેસમાં હથિયાર રાખવામાં દોષી સાબિત થયેલા સંજય દત્તે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ સજા પછી કહ્યુ કે તેઓ સ્ટ્રોંગ છે અને સ્ટ્રોંગ રહેશે. સંજય આ સમયે પોતાના મુંબઈ સ્થિત ઘર પર છે.
સંજયના વકીલ સતીશ માનશિંદેએ કહ્યુ કે સંજયને સજા તો ભોગવવી જ પડશે. હા એ જરૂર છે કે ભવિષ્યમાં તેઓ સરકારની અનુમતિ લઈને પેરોલ પર બહાર આવી શકે છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે સંજય દત્ત અત્યાર સુધી કુલ 17 મહિના 6 દિવસ જેલમાં રહી ચુક્યા છે.
જયા પ્રદાએ પ્રતિક્રિયા આપતા કહ્યુ કે સંજય દત્ત માસૂમ અને નિર્દોષ છે. પણ સુપ્રીમ કોર્ટનો નિર્ણય એ તો અંતિમ નિર્ણય છે. તેમને દ્દુ:ખ એ વાતનુ છે કે સંજય જ્યારે પહેલા જ 18 મહિના જેલમાં વિતાવી ચુક્યા છે તો તેમને વધુ સજા આપવી એ ખૂબ દુ:ખની વાત છે.