શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. ખ્રિસ્તી
  4. »
  5. ખ્રિસ્તી ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

સ્વર્ગનું રાજય તેમને મળશે

W.D

ભીડ જોઈને પ્રભુ ઈસુ પહાડ પર ચડી ગયાં અને ત્યાંથી લોકોને ઉપદેશ આપવા લાગ્યા.
ધન્ય છે તેઓ જે મનના દીન છે. સ્વર્ગનું રાજ્ય તેમનું જ છે. ધન્ય છે તેઓ જે નમ્ર છે તેઓ જ પૃથ્વીના માલિક છે.
ધન્ય છે તેઓ જે ધર્મના ભુખ્યા તરસ્યા છે જેઓને તૃપ્ત કરવામાં આવશે.
ધન્ય છે તેઓ જે દયાળુ છે તેમની પર દયા કરવામાં આવશે.
ધન્ય છે તેઓ જે જેમના હૃદય શુદ્ધ છે જેમને પ્રભુના દર્શન મળશે.
ધન્ય છે તેઓ જે શાંતિ કરાવનાર છે, મેળ મેળાપ કરાવનાર છે તેઓ ભગવાનના પુત્ર કહેવાશે.
ધન્ય છે તેઓ જેમને ધર્મને કારણે હેરાન કરવામાં આવે છે સ્વર્ગનું રાજ્ય તેમનું જ છે.