ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : સોમવાર, 16 માર્ચ 2015 (18:20 IST)

ક્રિકેટ વિશ્વ કપમાં ફરીથી થઈ શકે છે ભારત અને પાકિસ્તાનનો સામનો ?

ક્રિકેટ વિશ્વ કપમાં ફરીથી ભારત અને પાકિસ્તાનની ટીમ એક વાર ફરી સામે-સામે આવી શકે છે. બન્ને ટીમ પોતાના લીગ મુકાબલા જીતી  કવાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે.  ભારતીય ટીમ જયાં 19 માર્ચના રોજ  મેલબર્નમાં પોતાની  કવાર્ટર ફાઈનલ મુકાબલામાં બાંગ્લાદેશ સાથે ટકરાશે. તો બીજી બાજુ  પાકિસ્તાનની ટીમ 20 માર્ચે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. ભારત અને પાકિસ્તાન બન્ને ટીમ જો  પોતાના કવાર્ટર ફાઈનલ  જીતી જશે તો સેમીઈફાઈનલમાં  એકબીજા  સામે એકવાર ફરી ટકરાશે . 
 
2011 વર્લ્ડ કપના સેમી ફાઈનલમાં પણ ભારત અને પાકિસ્તાન ગ્રુપ બી નો મુકાબલો થયો હતો. આ મુકાબલામાં ભારતે  પાકિસ્તાનને હરાવ્યું હતું . ભારત કવાર્ટર ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવી સેમીફાઈનલમાં પહોંચ્યુ હતુ. 
 
પડોસી દેશ  ભારત સામે રમી ચુક્યુ છે.   જ્યાં ભારતે બાજી મારી હતી. બન્ને ટીમ અત્યાર સુધી વિશ્વ કપ ઈતિહાસમાં છ વાર એક બીજા સાથે  રમી ચુક્યા છે અને  દરેક વાર ભારત જીત્યું છે.