શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી. , શુક્રવાર, 5 ફેબ્રુઆરી 2016 (15:13 IST)

એશિયા કપ અને ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ જાહેર, યુવરાજને ફરી મળી તક

શુક્રવારે ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનુ એલાન કરવામાં આવ્યુ. દિલ્હીમાં થયેલ બીસીસીઆઈની પસંદગી સમિતિની બેઠકમાં ટૂર્નામેંટ માટે 15 ખેલાડીઓના નામની જાહેરાત થઈ. બીસીસીઆઈની બેઠક પછી અનુરાગ ઠાકુરે ટીમ ખેલાડીઓના નામની જાહેરાત કરી. 
 
મોહમ્મદ શમી અને પવન નેગીને ટી20 વિશ્વ કપ માટે ભારતીય ટીમમા લેવામાં આવ્યા. સાથે જ હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહને પણ ટી20 વર્લ્ડકપમાં લેવામાં આવ્યા. યુવરાજ સિંહ, હરભજન સિંહ અને આશીષ નેહરા જેવા વરિષ્ઠ ખેલાડીઓને પણ ટી20 વિશ્વકપ ટીમ માટે ભારતીય ટીમમા સ્થાન મળ્યુ છે. યુવરાજ, આશીષ નેહરા અને હરભજન સિંહને એક વાર ફરી તક આપવામાં આવી છે. ટીમમા નવા ચેહરાના રૂપમાં પવન નેગી એકમાત્ર ખેલાડી છે. 
 
ટીમમાં કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની ઉપરાંત રોહિત શર્મા, વિરાટ કોહલી, શિખર ધવન, રવિન્દ્ર જડેજા, જસપ્રીત બૂમરા, સુરેશ રૈના, આર અશ્વિન, અજિંક્ય રહાણે, આશીષ નેહરા, હાર્દિક પંડ્યા, હરભજન સિંહ, પવન નેગી, યુવરાજ સિંહ, મોહમ્મદ શામીની પસંદગી કરવામાં આવી છે. મનીષ પાંડેને ટીમમા સ્થાન મળ્યુ નથી. જ્યારે કે મોહમ્મદ શમી અને પવન નેગીને ટીમમાં લેવામાં આવ્યા છે. બંને ટૂર્નામેંટ માટે એક જ ટીમની પસંદગી કરવામાં આવી છે. જેમા કપ્તાન તરીકે મહેન્દ્ર સિંહ ધોની રહેશે.