Last Modified: નવી દિલ્હી , બુધવાર, 17 માર્ચ 2010 (14:45 IST)
હું ભગવાન નહીં માત્ર સચિન છું : તેંદુલકર
ND
N.D
ભારતના કરોડો ક્રિકેટ પ્રેમી જો કે, તેને ભગવાનનો દરજ્જો આપે છે પરંતુ સચિન તેંદુલકર સ્વયંને તેના માટે લાયક સમજતા નથી અને તે ઈચ્છે છે કે, લોકો માત્ર તેને સચિન અને ક્રિકેટના રૂપમાં જોવે.
તેંદુલકરથી જ્યારે પુછવામાં આવ્યું કે, લોકો તેમને ભગવાન માને છે તો તેઓ કેવો અનુભવ કરે છે. તેમને કહ્યું, 'હું કોઈ ભગવાન નથી, હું માત્ર સચિન છું.''
ઇંડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઇંડિયન્સના કપ્તાન તેંદુલકર જો કે, કેટલાક યુવા ક્રિકેટરો માટે ગુરૂ જરૂર છે જેમણે હાલના દિવસોમાં આ સ્ટાર બેટ્સમેનથી ટિપ્સ મળી રહી છે.
સોમવારે યુવા બેટ્સમેન સૌરભ તિવારી સાથે ઘણો સમય વિતાવનારા સચિને કહ્યું કે, તેમને યુવા ખેલાડીઓને ટિપ્સ આપવામાં મજા આવે છે.