ખેલાડીઓનું મગજ વાંચતા શીખો:જયવર્ધને
શ્રીલંકાના કપ્તાન મહેલા જયવર્ધનેનું માનવું છે કે ભારતની સામે શ્રેણીમાં નિષ્ફળ જનાર રહસ્યમયી સ્પિનર મેંડિસને પોતાની જૂની ધાર પાછી મેળવવા માટે ખેલાડીઓના દિમાગને વાંચવા માટે મહેનતની જરૂર છે. પાકિસ્તાન સામે બે ટેસ્ટ મેચોની શ્રેણી માટે અહી પહોચ્યા બાદ જયવર્ધનેએ કહ્યુ કે ભારત હાલમાં ટોચની ટીમમાંની એક છે. તેઓ અમારી સામે સારૂ એવું રમ્યા. અને મને લાગે છે કે તેઓએ મેંડિસનો સામનો સારી રીતે કર્યો છે.