ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: લંડન , શુક્રવાર, 17 જુલાઈ 2009 (10:26 IST)

ગાંગુલીને મળી માનદ ફેલોશિપ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની ઉપલબ્ધિઓમાં આજે વધુ એક પીંછુ ઉમેરાયું કે જ્યારે કેન્દ્રિય લંકાશાયર વિશ્વ વિદ્યાલયે તેને માનદ ફેલોશિપ આપી ગૌરવ કર્યું. ગત વર્ષે 113 ટેસ્ટ અને 311 વન ડે મેચ રમ્યા બાદ આંતર રાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેનાર ગાંગુલીને ધ્યેય પ્રાપ્તિની પ્રતિબધ્ધતા સાથે અસીમિત પ્રતિબધ્ધતા માટે ફેલોશિપથી નવાજવામાં આવ્યો.

ગઇકાલે લંકાશાયરમાં વિશ્વ વિદ્યાલયના સંચાલન વિભાગના ઇન્ચાર્જ ડીમ ધર્મા કોવુરી પાસેથી ફેલોશિપ ગ્રહણ કરતાં કહ્યું હતું કે, આ તેના માટે મોટું સન્માન છે. કેટલાક મહિના અગાઉ મને જ્યારે આ અંગે જાણ થઇ ત્યારે મને ઘણી ખુશી થઇ હતી અને આજે અહીં આવી ગમે ઘણો જ આનંદ થયો છે.

લંકાશાયર ઇવનિંગ પોસ્ટને ગાગુલીએ જણાવ્યું છે કે, લંકાશાયર સાથે મારો સંબંધ ઘણો જુનો છે. મેં મારી પહેલી વન ડે આંતર રાષ્ટ્રીય ઓલ્ફ ટ્રેફર્ડમાં 13 વર્ષ પહેલા રમી હતી અને લંકાશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ સાથે પણ સમય વીતાવ્યો છે.