1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: વેલીગ્ટન , શનિવાર, 28 ફેબ્રુઆરી 2009 (17:25 IST)

દર્શકોનાં ખરાબ વર્તનથી ધોની દુખી

ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટ્વેન્ટી-20 ની બીજી મેચ વખતે દર્શકોનાં ખરાબ વર્તન અંગે ખૂબ નિરાશા દર્શાવી હતી.

દર્શકોએ મેદાનમાં બોટલ ફેકી હતી, જેના કારણે મેચ થોડીવાર માટે રોકવી પડી હતી. મેચ હાર્યા બાદ ધોનીએ જણાવ્યું હતું કે હું મેચ દરમિયાન બોટલ ફેકાય તેમ ઈચ્છતો નથી. કારણ કે તેના કારણે ખેલાડીઓને ઈજા પહોચી શકે તેમ છે.

તેમજ બાઉન્ડ્રીની નજીકનાં પ્રેક્ષકો દ્વારા બુમો પાડવાથી પણ ખેલાડીનું ધ્યાન ભંગ થાય છે.