ભારતીય ક્રિકેટ ટીમ શુક્રવારે શ્રીલંકા પ્રવાસ માટે રવાના થઈ રહી છે.
નવવિવાહિત કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની વગર ભારતીય ક્રિકેટ ટીમ ત્રણ ટેસ્ટ અને ટ્રાઈ વનડે શ્રેણી રમવા માટે શુક્રવારે શ્રીલંકા રવાના થશે.
પ્રવાસની શરૂઆત 13થી 15 જુલાઈ દરમિયાન થનારા ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચની સાથે થશે, જ્યારે કે ત્રણ મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 18થી 22 જુલાઈ દરમિયાન રમાશે.
ટેસ્ટ શ્રેણીની બાકીની બંને મેચ કોલંબોમાં રમાશે. ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ શ્રીલંકાના સ્ટર સ્પિનર મુથૈયા મુરલીધરનની છેલ્લી ટેસ્ટ રહેશે.
મુરલી આ ટેસ્ટ મેચ પછી ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ લેશે.
ઘાયલ ઝહીર ખાનની જગ્યાએ ટીમમાં જોડાયેલા ઝડપી બોલર અભિમન્યુ મિથુન અને એસ શ્રીસંત સવારે ચેન્નઈ પહોંચી ગયા છે, જ્યારે કે સચિન તેંડુલકર સાંજ સુધી પહોંચ્યા.
હવાઈ મથક અધિકારીઓ મુજબ તેંડુલકર સવારની ફ્લાઈટ ન પકડી શક્યા. તેઓ સાંજે સવા સાત વાગ્યા સુધી અહી પહોંચ્યા.
ટીમ શુક્રવારે શ્રીલંકા એયરલાઈનની ઉડાન દ્વારા રવાના થશે. તાજેતરમાં જ પોતાની બાળપણની મિત્ર સાક્ષી રાવત સાથે લગ્ન કરનારા ધોની સીધા શ્રીલંકા જશે.