ધોનીના બેકઅપની કોઇ ચિંતા નથી
પૂર્વ કોચ લાલચંદ રાજપૂતનું માનવું છે કે, ઇંગ્લેન્ડમાં આગામી 5મી જુનથી શરૂ થઇ રહેલા ટ્વેન્ટી 20 વિશ્વ કપમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના વિકેટકિપરના રૂપમાં કોઇ બેકઅપ નથી તે ચિંતાનું કોઇ કારણ નથી. પૂર્વ ટેસ્ટ બેટ્સમેન રાજપૂતે કહ્યું કે, ધોની જરૂરથી રમશે અને જ્યાં સુધી કોઇ ગંભીર ઇજા નહીં થાય ત્યાં સુધી તે રમશે એમાં કોઇ સવાલ નથી.