શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વાર્તા|

ધોનીનો પ્રસ્તાવ અયોગ્ય: કપીલ

આરપી સિંહને વનડે ટીમમાંથી બાકાત કરવા મામલે ટીમ ઈંડિયાના કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ રાજીનામુ આપવાની ધમકીને ભૂતપૂર્વ કપ્તાન કપિલ દેવે વખોડી કાઢી હતી.

ખાનગી ચેનલને આપેલી મુલાકાતમા કપીલ દેવે કહ્યુ કે ધોની યુવાન કપ્તાન છે. જો તે ટીમ માટે કોઈ સારા ખેલાડી માટે સંઘર્સ કરે છે તો તે સારી બાબત છે. પણ તેમણે આટલી નાની વાત પર તેમને રાજીનામાનો પ્રસ્તાવ મૂક્યો તે અયોગ્ય છે.

પસંદગી સમિતિ સાથે દરેક ખેલાડીને વાંધો ઉભો થાય છે. ધોની શાનદાર કપ્તાન છે પણ, પરંતુ તેમણે આ મુદ્દે તેઓ ખોટા પડ્યા છે.

વિશ્વવિજેતા ટીમના પ્રતિનિધિ રહેલા કપિલ દેવે કહ્યુ કે ધોનીએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પસંદગીકારો અને બીસીસીઆઈને ખરૂ બોલનાર કપ્તાન પસંદ નથી. ધોનીએ હજી ઘણીબધી બાબતો શીખવાની છે.