ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: દેહરાદૂન , મંગળવાર, 17 નવેમ્બર 2009 (10:11 IST)

બાબા રામદેવ તેંદુલકરનું સન્માન કરશે

ખ્યાતનામ યોગગુરૂ બાબા રામદેવના નેતૃત્વવાળું પતંજલિ યોગપીઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વીસ વર્ષ પૂર્ણ કરનારા સચિન તેંદુલકરનું સન્માન કરશે.

બાબા રામદેવે આજે કહ્યું છે કે, ' તેંદુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20 વર્ષ પૂર્ણ કર્યા છે અને પતંજલિ યોગપીઠને એમ કહેતા ગર્વ થઈ રહ્યો છે કે, અમે તેનું સન્માન કરીશું.' જો કે, સમ્માન સમારોહની તારીખ હજુ સુધી નક્કી થઈ નથી. તેને ટૂક સમયમાં જ જાહેર કરવામાં આવશે.

રામદેવે કહ્યું કે, પતંજલિ યોગપીઠ દ્વારા આયોજિત કરવામાં આવેલા આ સમ્માન સમારોહથી હોકી, કુશ્તી અને ગોલ્ફ જેવી રમતોમાં પણ યુવાઓને ભાગ લેવાની પ્રેરણા મળશે.