શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By
Last Updated : શનિવાર, 17 મે 2014 (14:23 IST)

આશ્ચર્યનાં આંચકા આપવા માટે જાણીતા નરેન્દ્ર મોદીનાં જીવન સફર વિશે જાણવા જેવું

આશ્ચર્યનાં આંચકા આપવા માટે જાણીતા નરેન્દ્ર મોદીનાં જીવન સફર વિશે જાણવા જેવું

લોકસભામાં ભાજપને એકલા હાથે ર૭રથી વધારે બેઠકો આપીને નરેન્‍દ્રભાઇ મોદીએ રાજકીય ઇતિહાસનું અભૂતપૂર્વ પ્રકરણ આલેખ્‍યું છે. મોદીજીએ દેશવાસીઓના દિલમાં અને વિદેશી તાકતોના દિમાગમાં આશ્ચર્યના આંચકા આપ્‍યા છે. આવો, મોદીજીનું પ્રેરક જીવન માણીએ.

   નરેન્‍દ્ર દામોદરદાસ મોદી (જન્‍મ : ૧૭ સપ્‍ટેમ્‍બર ૧૯૫૦) ગુજરાત રાજયના મુખ્‍ય મંત્રી છે. નરેન્‍દ્ર દામોદરદાસ મોદીનો જન્‍મ એક મધ્‍યમ વર્ગના કુટુંબમાં વડનગર ખાતે થયો હતો. તે દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્‍ની હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન હતા. તે નાનપણથી જ રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંદ્યના સભ્‍ય હતા. તેમને કિશોરાવસ્‍થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્‍નાતકની પદવી પ્રાપ્ત કરી છે. ૧૯૯૮ માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતા લાલકૃષ્‍ણ અડવાણી દ્વારા ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી પ્રચાર માટે તેમની પસંદગી દ્વારા કરવામાં આવી હતી.ઇ.સ. ૨૦૦૧ના વર્ષમાં પૂર્વ મુખ્‍ય મંત્રી કેશુભાઈ પટેલ રાજીનામું આપ્‍યા બાદ તેઓ ૭ ઓક્‍ટોબર ૨૦૦૧ના દિવસે મુખ્‍ય મંત્રી બન્‍યા હતા. વર્ષ ૨૦૦૭ની ચુંટણીમાં જંગી બહુમતીથી જીત્‍યા બાદ તેઓ ગુજરાત રાજયના ત્રીજી વખત ચુંટાઇ આવેલા એક માત્ર મુખ્‍યમંત્રી છે. મોદી ભારતની અંદર અને આંતરરાષ્ટ્રીય સ્‍તરે એક વિવાદાસ્‍પદ વ્‍યક્‍તિ છે.  તેઓ ગુજરાત ખાતે સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા મુખ્‍ય મંત્રી છે.

   આગળ અંગત જીવન


અંગત જીવન

   મોદીનો જન્‍મ વડનગરનાં એક મધ્‍યમ વર્ગના પરિવારમા થયો હતો જે તે સમયે ભારતનાં મુંબઇ રાજયમાં આવતું હતુ. ૧૯૬૭માં તેમણે ગુજરાતમાં રેલ પ્રભાવિત લોકોની સેવા કરી હતી. યુવાન વયે જ તેઓ અખિલ ભારતીય વિધાર્થી પરિષદ સાથે જોડાઈ ગયા હતા.યુવાનાવસ્‍થામાં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંસ્‍થામાં એક વિદ્યાર્થી તરીકે જોડાયા અને ભ્રષ્ટાચાર વિરોધી ‘નવનિર્માણ અંદોલન'માં સક્રિય ભાગ ભજવ્‍યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સંપૂર્ણ સમયના કાર્યકર તરીકે જોડાયા પછી તેમને ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ના પ્રતિનિધિ તરીકે પસંદ કરવામાં આવ્‍યા હતા.તેઓ કિશોરાવસ્‍થામાં તેમના ભાઈ સાથે ચા ની લારી ચલાવતા હતા. તેમણે ભારતમાં સામાજીક અને સાંસ્‍કૃતિક વિકાસના કાર્ય સાથે સંકળાયેલી સંસ્‍થા રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘ સાથે જોડાઈને પણ કાર્ય કર્યું છે.

   નરેન્‍દ્ર મોદીએ શાળાકીય અભ્‍યાસ વડનગરમાં પૂર્ણ કરેલો છે. તેઓ ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજયશાષા વિષય સાથે અનુસ્‍નાતક થયા હતા. તે એક સારા લેખક તરીકે પણ જાણીતા છે, તેમના લખાયેલા દ્યણા પુસ્‍તકો પ્રસિદ્ધ પણ થયા છે.

   પ્રારંભિક પ્રવૃત્તિઓ અને રાજકારણ

   આરએસએસ સાથેના તેમના કાર્યકાળ દરમિયાન, મોદીએ ૧૯૭૪ આંદોલન વિરોધી ભ્રષ્ટાચાર અને ૧૯ મહિનાની (જૂન ૧૯૭૫ થી જાન્‍યુઆરી ૧૯૭૭) લાંબી ‘કટોકટી' સહિત અનેક મહત્‍વપૂર્ણ અને કપરા પ્રસંગો પર ભૂમિકા ભજવી હતી. મોદી તેમના યુનિવર્સિટીના વર્ષ દરમ્‍યાન આરએસએસના એક પ્રચારક તરીકે હતા.

   તેમણે ૧૯૮૭માં ભાજપમાં જોડાયા અને તેના દ્વારા રાજકારણના મુખ્‍ય પ્રવાહમાં દાખલ થયા. માત્ર એક વર્ષમાં તેમની ગુજરાત એકમના જનરલ સેક્રેટરી સ્‍તર પર તેમની વરણી કરવામાં આવી હતી. તેમણે શંકરસિંહ વાઘેલા સાથે ભાગીદારીમાં ગુજરાતમાં મજબૂત સંવર્ગ આધાર બનાવવા પ્રયત્‍નો કર્યા. પ્રારંભિક ગાળામાં, શંકરસિંહ વાઘેલા એક સમૂહ નેતા તરીકે જોવામાં આવ્‍યા હતા, જયારે મોદીને એક કુશળ નીતિનીયામક તરીકે જોવામાં આવ્‍યા હતા.

   ત્‍યારબાદ પક્ષે રાજકીય કક્ષાએ ગતિ મેળવવાની શરૂ થઇ અને એપ્રિલ ૧૯૯૦ ના કેન્‍દ્રમાં સંયુક્‍ત સરકારની રચના કરી હતી. આ ભાગીદારી થોડા મહિના સુધી નિમિત્ત હતી, પરંતુ ભાજપ ગુજરાત માં બે તૃતીયાંશ બહુમતી સાથે ૧૯૯૫ માં સત્તા પર આવી હતી.આ સમયગાળામાં મોદીએ ‘સોમનાથ થી અયોધ્‍યાની રથયાત્રા' (એક રૂપાંતરિત ટોયોટા વાન પર ભારત દ્વારા રાજકીય રેલીમાં) અને ‘કન્‍યાકુમારી થી કાશ્‍મીર' (ભારતના દક્ષિણનો ભાગ)ની કુચ જેવા નિર્ણાયક રાષ્ટ્રીય પ્રસંગોની જવાબદારી ઉપાડી હતી.

   શંકરસિંહ વાઘેલાની ભાજપમાંથી બાદબાકી થયા બાદ કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકે નિયુકત થયા અને નરેન્‍દ્ર મોદીએ પક્ષ જનરલ સેક્રેટરી તરીકે દિલ્‍હી મોકલવામાં આવ્‍યા હતા.

   વ્‍યક્‍તિત્‍વ

   મોદી એક સાદી જીવનશૈલી ધરાવતા અગ્રણી તરીકે જાણીતા છે. તે કાર્યલક્ષી અને અંતર્મુખી મુખ્‍ય પ્રધાન તરીકે ઓળખાય છે. તેમણે ઘણા હિન્‍દૂ મંદિરો કે જે યોગ્‍ય સરકારી મંજૂરી વિના બનાવવામાં આવ્‍યા હતા તેને તોડી પાડવાનો આદેશ આપ્‍યો હતો. આ કારણે તેઓ વિશ્વ હિંદુ પરિષદના ગુસ્‍સાનું કારણ બન્‍યા હતા. તેમને એક સારા વક્‍તા તરીકે જોવામાં આવે છે. મોદી અંગ્રેજી ભાષા પર પ્રભુત્‍વ ધરાવે છે.

   મુખ્‍યમંત્રી તરીકેનો કાર્યકાળ ગુજરાત હિંસા

   ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ નાં રોજ હિંદુ યાત્રાળુઓ અને ધાર્મિક કારીગરો પવિત્ર શહેર અયોધ્‍યાથી પરત ફરી રહ્યા હતા ત્‍યારે ગોધરામાં થયેલા કોમી રમખાણમાં લગભગ ૫૯ લોકોના સ્‍થળ પર જ મૃત્‍યુ થયા. સ્‍થાનિક મુસ્‍લિમ નેતાઓએ ટ્રેન ને બાળી હોવાનો આક્ષેપ છે. માનવ અધિકાર જૂથો અને એનજીઓ દ્વારા કરાયેલા અભ્‍યાસમાં આ આંકડો લગભગ ૨૦૦૦ ને પાર છે. સત્તાવાર આંકડા પ્રમાણે ૭૯૦ મુસ્‍લિમો અને ૨૫૪ હિંદુઓ ની હત્‍યા કરવામાં આવી હતી, ૨૨૩ લોકોના ગુમ થયાનો અહેવાલ હતો અને ૨,૫૦૦ ઘાયલ થયા હતા. હુલ્લડનું કારણ ગોધરા ટ્રેન રમખાણ માનવામાં આવે છે જેમાં લગભગ ૫૩ હિંદુ કાર સેવકોને કથિત મુસ્‍લિમ જૂથ દ્વારા જીવંત બાળવામાં આવેલા. મોદી વહીવટ પર રમખાણો નોઆરોપ મૂકવામાં આવ્‍યો હતો અને તેમને શંકાસ્‍પદ ઠેરવવામાં આવ્‍યા હતા. ગોધરા હત્‍યાકાંડ માટે વ્‍યાપક પ્રતિક્રિયા આપવામાં, ભારતીય લશ્‍કર અને રાજય પોલીસની સંયુક્‍ત તાકાત પણ અપૂરતી સાબિત થઇ છે આ વાતની પુષ્ટિ ૧ માર્ચ ના રોજ મીડિયા અહેવાલો દ્વારા કરવામાં આવી હતી. ૨૦૦૪ માં રેલ્‍વે પ્રધાન લાલુ પ્રસાદ યાદવ દ્વારા સ્‍થપાયેલી બેનર્જી સમિતિએ ૨૦૦૬ નાં એહવાલમાં જણાવ્‍યું કે ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ નાં રોજ સાબરમતી એક્ષ્પ્રેસ્‍સ નાં એસ-૬ કોચ માં જે આગ લાગી તેનું કારણ તેમાં ખોરાક રાંધતા લોકો હતા અને તે બનાવમાં કોઈ પ્રકારની મુસ્‍લિમ સંડોવણી ન હતી. ત્‍યાર બાદ ગુજરાત હાઈ કોર્ટ દ્વારા બેનરજી સમિતિ ગેરકાયદેસર જાહેર કરવામાં આવી હતી. પછી નાણાવટી સમિતિએ આ ઘટના ને ‘પૂર્વ આયોજિત કાવતરું' કહ્યું અને નરેન્‍દ્ર મોદી ને ક્‍લીન ચીટ આપી સુપ્રિમ કોર્ટે રચેલી સ્‍પેશિયલ ઈન્‍વેસ્‍ટીગેશન ટીમ (સીટ)એ ૨૦૦૨માં થયેલા કોમી રમખાણોમાં પોતાની બંધારણીય ફરજોને આધિન રહીને આ તોફાનો ડામવામાં નિષ્‍કાળજી દાખવી હોવાના આરોપોમાંથી તેમને ડિસેમ્‍બર ૨૦૧૦માં મુક્‍ત કર્યા.

   વિવાદ

   આ તોફાનોનાં એક પ્રત્‍યાદ્યાતો તરીકે, મોદી મુખ્‍યમંત્રી તરીકે તેમનાં સ્‍થાન માંથી રાજીનામું આપે તેવી માગણી હતી. વિરોધ પક્ષો દ્વારા આ મુદ્દે રાષ્ટ્રીય સંસદ સ્‍થગિત કરવામાં આવી હતી, પણ દ્રવિડ મુનેત્ર (ડીએમકે) કઝગમ અને તેલુગુ દેસમ પાર્ટી (ટીડીપી), આ મુદ્દે ભાજપનાં સાથી હતાં. મોદીને રાજીનામું માટે પૂછવામાં મોદીએ ગવર્નરને રાજીનામું સુપરત કર્યું અને ૧૦ મી ગુજરાત વિધાનસભાનાં વિસર્જનની ભલામણ કરી હતી. મોદીના નેત્રૃત્‍વ હેથળ ભાજપે ૨૦૦૭ની વિધાનસભાની ચૂંટણીમા ૧૮૨માંથી ૧૨૭ બેઠકો જીતી લેતા ગુજરાતમાં તેમની સત્તા કાયમ રહી હતી.

   આગળ મોદિત્‍વની કારકિર્દી



 મોદિત્‍વની કારકિર્દી

   દેશભરમાં વડાપ્રધાન પદના દાવેદાર તરીકે ઉભરી રહેલા નરેન્‍દ્ર મોદી ઘણા વર્ષો સુધી રાષ્‍ટ્રીય સ્‍વયંસેવકસંદ્યના પ્રચારક રહ્યા હતા. તેમણે ગુજરાત યુનિર્વસિટીમાંથી રાજકીય શાખાની માસ્‍ટર ડિગ્રી મેળવી હતી. ત્‍યારબાદ તેમણે રાજનીતિમાં ઝંપલાવ્‍યું હતુ.

   -  ૧૯૯૪માં ગુજરાત વિધાનસભામાં ભાજપની જીતમાં મોદીની રણનીતિ સફળ રહી

   -  ૧૯૯૪માં મોદીને પક્ષના રાષ્‍ટ્રીય સચિવ બનાવાયા

   -  ૧૯૯૮માં પક્ષના મહાસચિવ બનાવાયા

   -  ઓક્‍ટોબર ૨૦૦૧માં મોદીના સમયમાં થયેલો ગોધરાકાંડ

   -  ગોધરાકાંડ બાદ ભારે દબાણમાં આવી ગયા બાદ મોદીએ મુખ્‍યમંત્રી પદ પરથી રાજીનામુ આપ્‍યુ અને ફરીથી ચૂંટણી યોજાઈ

   -  વર્ષ ૨૦૦૨માં વિધાનસભાની ૧૮૨ સીટોમાંથી ૧૨૭ સીટો મેળવીને ભાજપને જંગી બહુમતિથી વિજય અપાવ્‍યો

   -  ૨૦૦૪માં અમેરિકાએ મોદીના ગોધરાકાંડની સંડોવણી બદલ વીઝા આપવાનો ઇન્‍કાર કરી દેવામાં આવ્‍યો જે આજ દિન સુધી અમલમાં છે

   -  વર્ષ ૨૦૦૬ જુલાઈમાં મોદીએ વડાપ્રધાન મનમોહનસિંહ પર આતંકવાદ તરફ કુણુ વલણ અપનાવવા બદલ જોરદાર ટિકા કરી હતી

   -  ૨૦૦૭માં બીજી વખત જંગી બહુમતિ મેળવીને મુખ્‍યમંત્રી તરીકે નિયુક્‍ત થયા હતા

   -  ૨૦૧૧ના અંતમાં અને ૨૦૧૨ની શરૂઆતમાં મુસલમાનોને પોતાની તરફ ખેચવા માટે સદ્‌ભાવા મિશન જેવા અભિયાનો હાથ ધરીને ઉપવાસ કર્યા હતા જેની દેશભરમાં નોંધ લેવાઈ હતી

   -  ૨૪ ઓગસ્‍ટ ૨૦૧૧ના રોજ લોકાયુક્‍તની નિયુક્‍તિના મુદ્દે મોદી સરકાર અને રાજયના રાજયપાલ વચ્‍ચે મતભેદો ઉભા થયા હતા

   -  વર્ષ ૨૦૧૨માં ગુજરાતમાં મોદીના નેતળત્‍વ હેઠળ ત્રીજી વખત વિધાનસભાની ચૂંટણી જીતીને સતત ત્રીજી વખત મુખ્‍યમંત્રી તરીકે નિયુક્‍ત થયા છે

   -  માર્ચ ૨૦૧૩માં ભાજપના સંસદીય બોર્ડના મુખ્‍ય સભ્‍ય તરીકે નિમણૂંક કરાઈ હતી

   -  જૂન ૨૦૧૩માં ગોવામાં ભાજપના ચૂંટણી પ્રચાર સમિતિના અધ્‍યક્ષ પદે નિયુક્‍ત કરાયા હતા.

   -       ૨૦૧૪માં વડાપ્રધાન બની રહ્યા છે.