શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By
Last Updated : શનિવાર, 17 મે 2014 (11:58 IST)

મોદી કોઈને કારણ વગર ચા પણ પિવડાવતા નથી - પ્રહલાદ મોદી

ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રીના ઉમેદવાર નરેન્દ્ર મોદી યુવાનીમાં પતંગ ચગાવતા હતા.
 
નાનાભાઈ પ્રહલાદ તે દિવસને યાદ કરે છે કે જ્યારે તે ચકરી પકડતા હતા અને મોટાભાઈ નરેન્દ્ર પતંગ ચગાવતા હતા. પ્રહલાદ કહે છે કે "જો હું ના પાડતા તો તે ગુસ્સે થઈ જતા અને મને મારતા હતા. હું આજે પણ તેનાથી ગભરાવુ  છું. હવે અમે બન્ને ભાઈ ઓછા જ સાથે નજરે પડે છે. 
 
નરેન્દ્ર મોદીએ લાંબા સમય સુધી પરિવાર સાથે દૂરી બનાવી રાખી. આથી ચુંટ્ણી સભામાં નરેન્દ્ર મોદી કહેતા હતા કે "મારે પાસે કોઈ નથી" જેના કારણ ભ્રષ્ટ થવાય. 
 
'કોઈની  બીક નહી'
 
પ્રહલાદ મોદીએ બીબીસીથી કહ્યું કે તેને પોતાના ભાઈ ઉપર ગર્વ છે. કે તે પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે. 
પ્રહલાદની ગુજરાતના અમદાવાદમાં ટાયરની દુકાન  છે નરેન્દ્ર મોદી આ રાજ્ય્માં 2011થી મુખ્ય્મંત્રી છે. 
નરેન્દ્ર વિશે જણાવતા પ્રહલાદના વ્યવ્હારમાં થોડું દુ:ખ પણ જોવા મળ્યુ.  
 
પ્રહલાદ કહે છે કે "મને લાગે છે કે તેઓ મને હજુ પણ પ્રેમ કરે છે" પ્રહલાદની યાદોમાં નરેન્દ્ર મોદીના રહેવા અને તેમનું ગુસ્સો હજુ પણ તાજો જ છે. 
 
શું ભારતે મોદી આવવાથી ગભરાવવુ જોઈએ ?  
 
આ સવાલના જવાબ પર પ્રહલાદે કહ્યું કે 'જે પણ આ દેશનું ભલું ઈચ્છે છે તેણે બીવાની જરૂર નથી."
તે આગળ કહે છે "બીવાની જરૂર તેને છે જે આ દેશના વિરોધમાં કોઈ કામ કરે "
 
ગુજરાતમાં વર્ષ 2002માં સાંપ્રદાયિક રમખાણો થયા. ત્યારે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા. 
 
નરેન્દ્ર મોદી 
 
ગુજરાત રમખાણોમાં નરેન્દ્ર મોદીની ભૂમિકા પર સવાલ થયા હતા . આ પૃષ્ઠભૂમિ પર નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી બનવાની નજરે ભારતમાં કેટલાક લોકોના મનમાં શંકા પેદા થાય છે. 
 
પણ નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ આ ચિંતાઓને પણ નકારી છે. તે એને ડ્રામા બતાવે છે. જેને વિપક્ષે ઉભા કર્યા હતા. 
તે આ આરોપોને નકારે છે કે નરેન્દ્ર મોદી મુસલમાનો પ્રત્યે દુર્ભાવના રાખે છે. 
 
પ્રહલાદ કહે છે કે મુસલમાનોએ ગભરાવવાની જરૂર નથી. નરેન્દ્ર ભાઈ જ્યારે નાના હતા ત્યારે પણ મુસલમાનો સાથે રમતા હતા. 
 
બિગ મેન 
 
ઉત્તર ગુજરાતમાં એક નાનો કસ્બો છે વડનગર આ તે જ ઘર છે જ્યાં બન્ને ભાઈઓ મોટા થયા અને પછી આખો પરિવાર ત્યાંથી નીકળી ગયો. 
 
વડનગરની મોદી ગલી
 
નરેન્દ્ર મોદી ત્યાંરથી જ નીકળી ગયા હતા જયારે તે કીશોર વયના હતા. આ વયમાં જ નરેન્દ્ર મોદીએ પોતાને હિન્દુ રાષ્ટ્ર્વાદી સંગઠન- રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘને સમર્પિત કરી દીધું હતું. 
 
પણ ત્યાં તેમના પાડોશી હજુ પણ રહે છે. જેમાંથી કેટલાક નરેન્દ્ર મોદીના બાળપણના મિત્ર છે. 
 
ત્યાં  એક રોડ પણ છે જે "મોદી ઈલાકા" નામથી ઓળખાય છે. કારણકે ત્યાં રહેતા આશરે બધા લોકો એક જ પરિવાર અને જાતિના છે. 
 
ત્યાં ચુંટ્ણીના પરિણામની ઘોષણા થયા પહેલા જ જશ્નનો વાતાવરણ છે જ્યાં લાડુઓ વહેંચવાની તૈયારી છે. 
 
ત્યાં જે ઘરમાં સન 1950માં મોદીનો જન્મ થયો હતો તે ઘરથી એક બારણા દૂર પર રહેતા દશરથલાલમોદી કહે છે એયાં દરેક કોઈ મોદીને જ વોટ આપ્યો છે.  
 
તે કહે છે કે "અમે સ્થાનીય નેતાઓની પરવાહ નહી અમારો વોટ તો બસ મોદી માટે છે.  
 
ત્યાં દરેક જ્ગ્યાએ નરેન્દ્ર મોદીની યાદ વિખરેલી છે શ્યામલ દાસ પુરાના દિવસ યાદ કરતા જણાવે છે કે "નરેન્દ્ર ભાઈએ મને કહ્યું હતું કે તેના હાથની લકીરો કહે છે કે હું એક દિવસ મોટા માણસ બનીશ અને "હું સદા ગાડિયોમાં ફરીશ."
 
આ વર્ષ 1960ના શરૂઆતી દિવસોની વાત છે. જ્યારે ભારતમાં બહુ જ ઓછા લોકો પાસે કારો હતી. 
 
બીજી તસ્વીર 
 
વડનગરમાં એવું પણ નહી છે કે ત્યાં રહેતા બધા લોકો આજે આપણા નેતા નરેન્દ્ર મોદીથી બહુ જ પ્રભાવિત છે. 
 
વડનગર સ્ટેશન 
કસ્બાના રેલ્વે સ્ટેશન પર કોઈ જમાનામાં પોતાના પિતા સાથે નરેન્દ્ર મોદી ચા વેચતા હતા. 
 
તે   રેલ્વે સ્ટેશન પર હવે ચાની દુકાનોના આજેબાજુના લોકોને લાગે છે કે નરેન્દ્ર મોદી આ ઈલાકાને નીચો દેખાયું છે. 
 
મીઠી ચાની ચુસ્કી લેતા એક કિસાન શિકાયત કરે છે 'તેને પૂરી જમીન લઈ લી અને મોટા વ્યાપારિઓને આપી દી'.
 
 એક બીજો કિસાન કહે છે " નરેન્દ્ર મોદી દસ વર્ષથી વધારે સમયથી રાજ્ય ના મુખ્યમંત્રી રહ્યા છે પણ અમારે ત્યાં ચારેલ રોડ છે અને વિજળી પણ ઓછી મળે છે. 
 
તેની શિકાયત આ દર્શાવે છે કે ભારતમાં નેતા કેવી રીતે બર્તાવ કરે છે. 
 
એમતો નાના ભાઈ પ્રહલાદને થોડી ઉમેદ છે કે 
નરેન્દ્ર મોદી જ્યારે પ્રધાનમંત્રી બનશે ચીજો બદલશે.
 
તે કહે છે કે " હું આશા કરુ છું કે તે અમારા પરિવારની આગલી પેઢીને મદદ કરશે પણ મને વિશ્વાસ છે કે તે એવું નહી કરે. એ તો કારાણ વગર કોઈ કારણે કોઈને ચા પણ નથી પિવડાવતા વિશેષ કરીને પોતાના પરિવારને.