મોદી વારાણસીથી ચૂંટણી લડશે, શુ વારાણસી બેઠક ભાજપ માટે સુરક્ષિત ?
ભાજપે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી હતી. જેમાં ભાજપના પીએમ કેન્ડિડેટ નરેન્દ્ર મોદીની બેઠકનું નામ ઉજાગર કરતાં સસ્પેન્સ ખતમ થઈ ગયું હતું. જોકે હવે ગુજરાત બેઠકો માટેની જાહેરાત 19મી માર્ચના રોજ કરવામાં આવશે. જોકે મોદીના નામની ઘોષણા થાય તે પહેલા જ આજે આમ આદમી પાર્ટી તરફથી આપના નેતા સંજય સિંહે કહી દીધું હતું કે મોદીની સામે કેજરીવાલ લડશે.ૉજે નામોને લઈને અનેક અટકળો ચાલી રહી તે મુજબ, નરેન્દ્ર મોદી - વારાણસી, રાજનાથ સિંહ - લખનૌ, મુરલી મનોહર જોષી - કાનપુર અને અરૂણ જેટલી - અમૃતસરથી ચૂંટણી લડશે. સુલ્તાનપુર- વરુણ ગાંધીઝાંસી - ઉમા ભારતીદેવરિયા - કલરાજ મિશ્રાગોરખપુર - યોગી આદિત્યનાથપીલીભીત - મેનકા ગાંધીએટા - રાજવીરસિંહગુડગાંવ - રાવ ઇન્દ્રજીતઅલાહાબાદ - કેસરીનાથ ત્રિપાઠીકુરુક્ષેત્ર - રાજ સૈનીઅંબાલા - રતનલાલ કટારિયાસોનીપત - રમેશ કૌશિકરોહતક - કેપ્ટન અભિમન્યુમુઝફરનગર- ડો.સંજીવ કલ્યાણમુરાદાબાદ - રાજેન્દ્રસિંહકરૈના - હુકમસિંહમેરઠ - રાજેન્દ્ર અગ્રવાલગાઝીયાબાદ- સંગીત સોમબિજનૌર - ભારતેંદુ સિંહવારાણસી બેઠક ભાજપ માટે સુરક્ષિત ?વારાણસી ભાજપ માટે એકદમ સુરક્ષિત બેઠક મનાતી નથી. જોકે વારાણસી બેઠકનું સાંસ્કૃતિક મહત્વને જોતા ભાજપ મોદીને અહીંથી ઉતારવાની ઈચ્છા હતી.ભૂતકાળ તરફ નજર કરીએ તો, છેલ્લી બે ચૂંટણીમાં ભાજપનું વજન અહીં ઘટ્યું છે.1991
થી 1999 સુધી ભાજપે અહીં સતત જીત હાંસલ કરી હતી.2004માં કોંગ્રેસે આ બેઠક ભાજપ પાસેથી છિનવી લીધી હતી.2009
માં મુરલી મનોહર જોશીની જીત સાથે પક્ષે આ બેઠક ફરી હાંસલ કરી હતી પરંતુ, તે વખતે બીએસપીના મુખ્તાર અંસારીએ તે વખતે કાંટાની ટક્કર આપી હતી અને મુરલી મનોહર જોશી માત્ર 17 હજાર મતોથી જીત્યા હતા.