મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By
Last Updated : શનિવાર, 3 મે 2014 (12:46 IST)

જોડીયુ અધ્યક્ષ શરદ યાદવને ચૂંટણી પરાજયનો ડર

જોડીયુ અધ્યક્ષ શરદ યાદવને ચૂંટણી પરાજયનો ડર

16મી લોકશભા ચુંટણી માટે 7 તબ્બકા સુધીનું મતદાન પૂર્ણ થયું  છે. અને હજુ બે તબ્બકાનું મતદાન બાકી છે. 16મે ના રોજ લોકસભા ચૂંટણી પરિણામ જાહેર થશે. તે પહેલાં ચર્ચા તેજ બની છે કે જોડીયુ અધ્યક્ષ શરદ યાદવ લોકસભા ચૂંટણી હારી શકે છે.  નોંધનીય છેકે શરદ યાદવે મધેપુરા બેઠકથી લોકસભા ચૂંટણી મેદાને છે. જ્યાં મતદાન પૂર્ણ થઈ ગયું છ. તેમની સામે આરજેડી ઉમેદવાર  પપ્પૂ યાદવ અને ભાજપના ઉમેદવાર વિજય સિંહ કુશવાહ ચૂંટ્ણી મેદાને હતા મનાઈ રહ્યું છે કે યાદવોના વોત વહેંચાઈ જવાથી શરદ યાદવના પરાજયની સંભાવના વધી ગઈ છે.

શરદ યાદવની હારની સંભાવના વધી જતાં જેડીયુ અધ્યક્ષની નારાજગી વધી છે.જેના પુરાવા વર્તમાન સમયે ચૂંટ્ણી પ્રચારની રેલીઓમાં જોવા મળે છે.  શરદ યાદવ પોતાની પાર્ટીના ઉમેદવાર માટે જનસભા સંબંધી રહ્યાં હતા. જ્યાં તેમણે માફી માંગતા કહ્યુ કે તેઓ રાજ્યની દુર્દશા માટે
જવાબદાર છે.તેની પાછળનુ તેમણે કારાણ આપતા કહ્યું કે તેમણે પહેલા લાલુ પ્રસાદ યાદવને સત્તા આપાવામાં મદદ કરી અને ત્યારબાદ વર્તમાન મુખ્યમંત્રી નીતિશ કુમાર્ને પણ મદદ કરી. આ ઉપરાંત શરદ યાદવે કહ્યું કે બન્ને મત્ર જાત-પાતની રાજનીતિ કરી જેનાથી બિહારને નુકસાન થયું.