વિશ્વવિખ્યાત તરણેતરના ભાતીગળ લોકમેળાની ગઈકાલ અને આજ
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ પાંચાળ વિસ્તારના તરણેતર ખાતેપ્રતિવર્ષની જેમ આ વર્ષેપણ આગામી તા. ૮ મી સપ્ટેમ્બરથી ૧૧ મી સપ્ટેમ્બર દરમિયાન ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં વિશ્વવિખ્યાત તરણેતરનો ભાતીગળ લોકમેળો યોજાનાર છે. આ લોકમેળામાં તરણેતરની આસપાસના ગ્રામિણ લોકોની સાથેદેશ - વિદેશથી મોટી સંખ્યામાં પર્યટકો આવેછે. ત્યારેમન પાંચમના મેળા એવા આ તરણેતરના મેળાનો ભવ્ય ભૂતકાળ અનેવર્તમાનનેઉજાગર કરતી માહિતી વાંચકો માટેરસપ્રદ બની રહેશે. તરણેતરનો મેળો જ્યાં ભરાય છેએ ગામનું નામ અપભ્રંશ થતાં થતાં તરણેતર થઈ ગયું, પણ ખરેખર ત્રિનેત્રેશ્વર છે, પાંચાલ વિસ્તાર છેસૌરાષ્ટ્રનો . પ્રાગ ઐતિહાસિક કાળમાં સૌરાષ્ટ્ર વિસ્તાર દ્વિપકલ્પ હતો. એ વખતેધીરેધીરેજેજમીન સમુદ્રમાંથી સૌથી પહેલા બહાર નિકળી અનેહજારો વર્ષ કેલાખો વર્ષ સુધી ટકી રહી એ જેટોંચનો વિસ્તાર છેતેસૌરાષ્ટ્રનો પાંચાલ વિસ્તાર છે.પાંચાલનો ઘેરાવો બહું મોટો નથી પણ એનું સાંસ્કૃતિક , ઐતિહાસિક, ધાર્મિક સંદર્ભમાંબહું મોટું મહત્વ છે. સ્કંધ પુરાણમાં એવો ઉલ્લેખ છેકે, ભગવાન વિષ્ણુંએ શિવજીનેપ્રસન્ન કરવા માટેતપસ્યા કરી અનેતેમને ૧૦૦૧ કમળ ચડાવવાના હતા. મૂર્તિ ઉપર ૧૦૦૦ કમળ થઈ ગયાંઅનેછેલ્લું ૧ કમળ ખુટ્યુંત્યારેતેમણેપોતાનું નેત્ર શિવજી ઉપર ચડાવ્યું ત્યારથી તેત્રિનેત્રેશ્વર કહેવાયા.એક વાયકા મુજબ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરની ફરતા કુંડમાં પાંચ ઋષિઓએ ભેગા થઈ ગંગાજીના અવતરણ માટેઆહવાન કરી ગંગાજીનું પ્રાગટ્ય કર્યું. તેની પાછળનો ઉદ્દેશ પણ તેમનો કદાચ એ હોઈ શકેકેઆ વિસ્તારની ગરીબ પ્રજા, અહીનુંલોકજીવન કદાચ ગંગાજી સુધી હરદ્વાર કેઋષિકેશ ન જઈ શકેતો અહીં ગંગાજી શા માટેન આવે ? ગંગાજીના અવતરણનેનિમિત બનાવી અહીં માણસો પોતાના પિતૃઓનું અસ્થિ વિસર્જન વગેરેજેવા ધાર્મિક કાર્યો કરવા માટેઋષિપંચમીના દિવસેતરણેતર આવતા થયા, એ રીતેઐતિહાસિક રીતેમેળાની કદાચ શરૂઆત થઈ હોય તેવું અનુમાન છે.ઋષિઓની હાજરીમાં લોકો મળેએટલેલોકજીવનેધાર્મિક રંગ ચડે. ભજન, ભજનની રાવટીઓમાંઆવતામાણસો લોકગીતો દ્વારા ભગવાનની આરાધના કરતાં હશે, ભગવાન વિષ્ણુંને યાદ કરતા હશે. આમ મુખ્યત્વે ધીરેધીરેસૌરાષ્ટ્રની ભાતીગળ લોકસંસ્કૃતિનો સમૂહ અહીંયા ભેગો થયો. એમાં ખાસ કરીનેમાલધારી સમાજ, મોટાભાઈ ભરવાડ, નાનાભાઇ ભરવાડ, રબારી સમાજ, તળપદા કોળી સમાજ, ચુવાળિયા ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજમાંથી ગરાસીયા દરબારો, કાઠી દરબારો, અહીંયા કોઈ ધાર્મિક ભેદભાવ ન હોઈ જતવાડમાંથી જત ડાયરો આવે, કાઠિયાવાડમાંથી કાઠી ડાયરો આવેઅનેબધા અહીંયા સમૂહગત રીતેભેગા થાય.
સૌરાષ્ટ્રના ત્રણ મેળા મહત્વના છે. ભવનાથનો શિવરાત્રિનો મેળો, ઘેડ પ્રદેશમાં માધવપુરનો મેળો અને પાંચાળનો તરણેતરનો મેળો. આ ત્રણેય મેળાનેવિવિધ રીતેજો વહેંચવા હોય તો એમ વહેંચી શકાય કે, તરણેતરનો મેળો છેએ રંગનો મેળો છે, માધવપુરનો મેળો એ રૂપનો મેળો છેઅનેશિવરાત્રિનો મેળો છે, એ ભક્તિનો મેળો છે. અહીં વિવિધ રંગોમાં રમતી અનેઆનંદ ઉલ્લાસથી પોતાની અભિવ્યક્તી જાહેર કરતી, લોકજીવનને ધબકતુંરાખતી પ્રજા મન છૂંટુમુકીનેમેળામાંમહાલેછે.આ વિસ્તારમાં ખાસ કરીનેતળપદા કોળી જ્ઞાતિ જેપાંચાળ વિસ્તારમાં સ્થિર થયેલી છેએનેતો આતરણેતરના મેળાનો એવડો મોટો પોરહ હતો કે, એક મેળો જાય એટલેતરત જ તેબીજા મેળા સુધી એની તૈયારીમાં લાગી જતી. બળદ માટેના શણગાર બળદગાડા અનેએવું કૈક સજતું રહેતું અમુક અમુક ગામના બળદગાડા વખણાતા. મેળામાં શણગાર સજીનેઆવતા દરેક ગામના બળદગાડાના અલગ અલગ ઉતારા રહેતા. એ ઉતારામાં લોકો ત્રણ દિવસ સુધી સતત રોકાય, આનંદ કરે.મેળાનેપણ ભૌગોલિક રીતેત્રણ રીતેવહેંચી શકાય એમ છે. મંદિરથી પૂર્વ બાજુજેતળાવ છેએ તળાવમાં જીવન ખીલતુંહોય તેમ જીતેલા જેનેકમળ સાથેસરખાવી શકાય તેવા ફૂલો એ વખતેખીલ્યા હોય છે. આપણનેએમ થાય કેઅહીંથી જીવન શરૂથાય છેઅનેએ જીવનની ગતિ તળાવના કાંઠેઆવેએટલેયૈવન સ્વરૂપે રમવા માંડે છે. બચપણ યૌવનમાં રમેઅનેયૌવન બચપણમાં રમતું હોય એવું તાદ્રશ ત્યાં ખડુથાય. થોડી ઉમર વધે એટલે બજાર આવે. જયાં વ્યવહાર કરાતા હોય, ખરીદી થાય, ખરીદી કેમ કરવી એ શિખવામાંઆવે, પ્રૌઢાવસ્થા ઢળતી થાય એટલે મંદિરમાં દર્શન થાય છે. દર્શન કરી અનેમેળો પશ્ચિમ બાજુજયાં પૂરો થાય ત્યાં રાવટીઓ હોય. ઉત્તરાવસ્થામાં રાવટીઓમાં ભજન કરીને મેળો પુરો થતો હોય. દરેક ઉંમર પ્રમાણેનો આ મેળો ભરાતો હોય છે. આ મેળાની વિશેષતા ઘણી બધી છે, પણ સૌથી વધારે જો આ મેળાની અંદર કોઈ મહત્વનું પાસુ હોય તો આ મેળાની રાવટીઓ છે. વટીઓમાં ભજન કિલ્લોલ થતા હોય. આ તરણેતરના મેળાઓ ઘણા બધા મોટા મોટા કલાકારો આપ્યા છે. હેમુભાઈ ગઢવીએ પણ આ મેળામાં ભજન ગાયેલા, શકિતદાન ગઢવીના સ્વરૂપે જયારે નારાયણ સ્વામી હતા ત્યારે આ મેળાની રાવટીઓમાં ખુબ ભજનો એમણેગાયેલા, કાનદાસ સ્વામી ભજનના બહુ મોટા કલાકાર ગણાય, તેમણે પણ આ મેળામાં ભજનો ગાયેલાં.આવી પવિત્ર ભૂમિ અનેએ ભૂમિમાં મેળાની અંદર વિવિધતા અને એને અનુલક્ષીને તેની જાહેરાત સ્વરૂપે મેળાની અંદર માણસોનુંપ્રમાણ વધતુંગયું. તરણેતરના મેળાનો એક બહુપ્રસિધ્ધ કિસ્સો છેકે, વિમાસણ બાપુકરીનેપાળીયાદના એક મહંત થઇ ગયા, એ એમની જુવાનીમાં પોતેબહુતોફાની હતા. ઘોડુ લઇને નીકળતા. એમનું સોનગઢના આપા ગોરપ્પા અને ચલાલાના આપા દાના નામના બેસંતોએ તરણેતર નજીકના જંગલમાં હદય પરિવર્તન કર્યુઅનેતરણેતરના મંદિરમાં ખાખરીયા હનુમાનની જેજગ્યા છેત્યાં લાવી અનેગોળ ચોખા રાંધી આખા મેળાનેખવડાવવાનો આદેશ આપ્યો . વધેલા ગોળ ચોખા પાળીયાદ લઇ જઇ સદાવ્રત આપવાનો આદેશ કર્યો હતો.એ વખતેબન્ને સંતોએ આપા વિહામણની બાવન ગજની જેપાધડી હતી એ પાઘડીનેભગવા રંગમાં બોળી અનેઆપા વિહામણને આદેશ કરેલો કેતેમ ધજા ચડાવી દો, ભગવાન મહાદેવના મંદિર ઉપર એમણેધજા ચડાવી ત્યારથી ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર ઉપર પાળીયાદની ધજા ચડેછે, એનુંએક અનેરુંધાર્મિક આકર્ષક છે.