મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 30 સપ્ટેમ્બર 2009 (16:02 IST)

ચેતાવણી બાદ પાયલોટોની હડતાલ ખત્મ

એર ઈંડિયાના હડતાલી પાયલટોએ મંગળવારે સરકારે જે સખત કાર્યવાહીની ચીમકી આપી હતી તેની અસર આજે સવારે જોવા મળી. સરકારના સખ્ત વલણને જોતા એર ઈંડિયાના એક્જિક્યૂટિવ પાયલોટોએ ચાર દિવસથી ચાલી રહેલી પોતાની હડતાલને આજે વિરામ આપી દીધો છે.

એક્જિક્યૂટિવ પાયલોટોના નેતા વીકે ભલ્લાએ હડતાલ ખત્મ થવાની જાહેરાત કરતા કહ્યું કે, અમને સરકાર પર પૂરો ભરોસો છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મનમોહનસિંહ અને નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલના હસ્તક્ષેપ અને તેમના આશ્વાસન બાદ અમે આ પગલું ભર્યું છે.