શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વાર્તા|
Last Modified: નવી દિલ્હી. , રવિવાર, 30 નવેમ્બર 2008 (20:14 IST)

ફિક્કીએ કરી શહિદોના પરિવારને મદદ

દેશની આર્થિક રાજધાની મુંબઈ પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા આત્મઘાતી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને ઉદ્યોગજગતે એક કરોડ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે.

ઉદ્યોગપતિઓના સંગઠન ફિક્કીએ આ યુદ્ધમાં શહીદ થયેલા રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ,એનએસજી, તથા સેનાના કમાંડરના પરિવારોને એક કરોડની ધનરાશિની મદદભેટે આપવાની જાહેરાત કરી છે.

ફિક્કી અધ્યક્ષ રાજીવ ચંન્દ્રશેખરે જણાવ્યુ હતું,કે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેશની નિશ્વાર્થ સેવા કરનાર શહિદોને દેશ ક્યારેય નહી ભૂલાવે.સમય પાકી ગયો છે કે સર્વએ એકજુટ થઈને આતંકવાદ સામે લડત આપવી જોઈએ.