બેંક કર્મચારિયોની હડતાળની ચેતવણી
સંપ્રગ સરકારે જો બીજા કાર્યકાળ દરમિયાન બેંક કર્મચારિયોના વેતનમાં વૃદ્ધિના મામલે હકારાત્મક વલણ ન અપનાવ્યુ તો કર્મચારીયો આન્દોલનનો રસ્તો અપનાવશે. સિંડીકેટ બેંકની ઉત્તર પ્રદેશ શાખાની સ્ટાફ સમિતિની બેઠકમાં ભાગ લેવા આવેલ ઓલ ઈંડિયા બેંક ઈમ્પલાઈઝ યૂનિયનના ઉપાધ્યક્ષ પી એન તિવારીએ અહી પત્રકારો સામે આ ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યુ કે બેંકકર્મચારિયો 4 જૂનના રોજ પોતાની બેંક શાખાઓ સામે ધરણા પ્રદર્શન કરશે. તેનાથી વાતનો નિવેડો ન આવ્યો તો તેઓ 11 જૂનના રોજ રેલી કાઢીને પોતાની વાત મૂકશે, તેમજ 12 જૂનના રોજ કમબંધ હડતાળ કરીએ તેવી સંભાવના છે.