કૌભાંડ અને સંકટમાં ઘેરાયેલી આઇ ટી કંપની સત્યમ કોમ્પ્યુટર્સના બોર્ડની આગામી બેઠક 5મી ફેબ્રુઆરીના રોજ મળશે.
સત્યમ કોમ્પ્યુટર્સના બોર્ડ સભ્ય કિરણ કાર્ણિકે જણાવ્યું હતું કે, આગામી બેઠક 5મીએ મળશે. જોકે આ બેઠકના એજન્ડાને લઇને તેઓએ કંઇ પણ સ્પષ્ટતા કરી ન હતી. તો સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ બેઠકમાં કંપનીના નવા સીઇઓની નિમણુંકને પ્રાધાન્ય આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, કંપનીના સ્થાપક એવા અધ્યક્ષ બી રામાલિંગા દ્વારા આચરાયેલા 7800 કરોડના કોભાંડને લઇને કંપની વિવાદમાં ઘેરાઇ છે.