પીપળના પાંદડા આરોગ્ય માટે લાભકારી હોય છે, જાણો એના લાભ વિશે ...
પીપળના તાજા લીલા પાંદડા કરે લોહી સાફ કરે છે
હ્રદય સંબંધી રોગ: એના ત્રણ તાજા પાંદડાના આગળ- પાછળના ખૂણાને તોડીને રોજ સવારે ખાલી પેટ ચાવવાથી લોહી સાફ થાય છે. આ ધમનિયોમાં રહેલા કોલેસ્ટ્રોલને દૂર કરી આક્સીજનનો સંચાર કરે છે.
તાવ- પીપળના ત્રણ તાજા પાંદડા એક ગ્લાસ પાણીમાં ઉકાળો ,પાણી જ્યારે અડધુ રહી જાય ત્યારે ઉતારી લો. પાણી હૂંફાળું રહે ત્યારે જ પી લો. ખૂબ જ વધુ તાવમાં આવું 2-3 વાર કરવાથી લાભ થાય છે.
ખંજવાળ - પીપળના થોડા પાનને ઘસીને દિવસમાં 3-4 વાર ખંજવાળ કે કીટ કાતરતાની જ્ગ્યાએ લગાવવાથી આરામ મળે છે.
ધ્યાન રાખો આ વાતો
પીપળના ઉપયોગમાં લેવાના એક કલાક પહેલા કઈ ન ખાવું . એની તાસીર ગરમ હોય છે આથી એનો પ્રયોગ કર્યા પછી જંક ફૂડ, તળેલી શેકેલી મસાલાવાળી વસ્તુઓ ન ખાવી. સ્વચ્છ પીપળના પાંદડાથી બનેલી પતરાવડી પર ભોજન મુકીને ખાવાથી શરીરને આકસીજન અને એંટીઓક્સીડેંટ મળે છે.