શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 7 નવેમ્બર 2016 (17:50 IST)

ઈયરફોનના ઉપયોગથી થઈ શકે છે અનેક બીમારીઓ

આજકાલ મોટાભાગના લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. દુનિયાથી બેખબર સ્માર્ટફોનનો ઉપયોગ કરનારા લોકો દરેક સમયે પોતાના કાનમાં ઈયરફોન લગાવી રાખે છે.  જો તમે પણ આવુ જ કંઈક કરો છો તો તમે બિલકુલ ન કરશો કારણ કે ઈયરફોનના વધુ ઉપયોગથી તમારા કાનને નુકશાન થઈ શકે છે. આ તમને બહેરા પણ બનાવી શકે છે. આવો અમે તમને ઈયરફોનના ઉપયોગથી થનારા નુકશાન વિશે બતાવીએ. 
 
1. ઓછુ સંભળાવવુ - બધા ઈયરફોનમાં હાઈ ડેસીબલ વેવ્સ હોય છે. જેનો ઉપયોગ કરવાથી તમે કાયમ માટે સાંભળવાની ક્ષમતા ગુમાવી શકો છો. તેથી 90 ડેસીબલથી વધુ અવાજમાં ગીત ન સાંભળો. 
 
2. મગજ પર ખરાબ અસર - ઈયરફોનથી લાંબા સમય સુધી ગીતો સાંભળવાથી મગજ પર ખરાબ પ્રભાવ પડે છે. જેનો મતલબ છે કે તમારે  આ ગંભીર સમસ્યાઓથી બચવા માટે ઈયરફોનનો ઓછામાં ઓછો વપરાશ કરવો જોઈએ. 
 
3. ઈંફેક્શનનો ભય - ઈયરફોન દ્વારા લાંબા સમય સુધી ગીતો સાંભળવાથી કાનમાં ઈંફેક્શન થઈ શકે છે. જ્યારે પણ કોઈની સાથે ઈયરફોન શેયર કરો તો ત્યારબાદ સેનિટાઈઝરથી સાફ જરૂર કરો. ડોક્ટરો મુજબ ઈયરફોનના ઉપયોગથી કાનમાં અનેક પ્રકારની સમસ્યા થઈ શકે છે. જેવુ કે કાનમાં છન છનનો અવાજ આવવો.. સનસનાહટ માથુ અને કાનમાં દુખાવો વગેરે. 
 
4. હ્રદય રોગ અને કેંસર - મોટા અવાજમાં ગીતો સાંભળવાથી માનસિક સમસ્યાઓ, હ્રદય રોગ અને કેંસરનો પણ ખતરો વધી જાય છે. 
 
5. બહેરાશની સમસ્યા - ઈયરફોનનો સતત ઉપયોગ કરવાથી સાંભળવાની ક્ષમતા પર તેની ખરાબ અસર પડે છે. આનાથી સાંભળવાની ક્ષમતા 40થી 50 ડેસીબલ સુધી ઓછી થઈ જાય છે. કાનના પડદા વાઈબ્રેટ થવા માંડે છે અને દૂરનો અવાજ સાંભળવામાં પરેશાની થવા માંડે છે. અહી સુધી કે તેનાથી બહેરાશ પણ થઈ શકે છે.