ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 18 જાન્યુઆરી 2022 (04:42 IST)

Hemoglobin - શરીરમાં હિમોગ્લોબિન ઓછું છે, શરીરમાં હિમોગ્લોબિન મેંટેન રાખવા ડાઈટમાં શામેલ કરવી આ 5 વસ્તુઓ

શરીરને ફિટ રાખવામાં ભરપૂર માત્રામાં ન્યૂટ્રીંએટ ભોજન ખૂબ જરૂરી છે. જો કોઈ પણ પોષક તત્વની કમી થઈ જાય છે તો આ શરીર માટે પરેશાનીનો કારણ બને છે. હમેશા લોકોમાં હીમોગ્લોબિન એવા આયરન હીમોલગ્લોબિન બનાવવા માટે મહત્વપૂર્ણ છે. હીમોગ્લોબિન શરીરના બધા અંગોને ઑક્સીજન આપે છે. શરીરમાં આયરનની માત્રા વધારવા માટે ઘણી વસ્તુઓ ડાઈટમાં શામેલ કરાય છે તો ચાલો જાણીએ એવાનટસ વિશે જે આયરનની કમીને પૂર્ણ કરશે અને તમારા હીમોગ્લોબિનને તરત વધારશે. 
 
1. કાજૂ 
તમારા શરીરમાં આયરનની કમી છે તો તમે કાજૂ ખાઈ શકો છો. આ તમારી ભૂખને ઓછુ કરે છે સાથે જ શરીરને પોષક તત્વ મળે છે. એક મુટ્ઠી કાજૂમાં 1.89 મિલી ગ્રામ આયરન હોય છે. તેથી જંક ફૂડ ખાવાથી સારુ છે કે તમે સ્નેકસમાં એક મુટ્ઠી કાજૂનો સેવન કરવું. 
 
2. બદામ - પલાળેલા બદામ ખાવાથી શરીરને ઘણા પ્રકારના પોષક તત્વ મળે છે. જો તમે એક મુટ્ઠી બદામનો સેવન કરો છો તો તમને 1.05 મિલી ગ્રામ મળે છે. ઘણા લોકો બદામનો દૂધ અને બદામના માખણનો સેવન કરે છે. તેથી તમને દરરોજ બદામનો સેવન કરવો જોઈએ. 
 
3. અખરોટ-અખરોટમાં સૌથી વધારે પોષક તત્વ હોય છે. આ તમારા મગજને શાર્પ કરવામાં મદદ કરે છે સાથે જ ઓછા હીમોગ્લોબિન વાળા લોકોને દરરોજ અખરોટનો સેવન કરવો જોઈએ. એક મુટ્ઠી અખરોટ ખાવાથી તમને 0.8 મિગ્રા પ્રોટીન મળે છે. 
 
4. પિસ્તા
પિસ્તા સ્વાદથી ભરપૂર છે અને સ્નેક્સ માટે સૌથી સારું છે. જો તમને આયરનની કમી છે તો એક મુટ્ઠી પિસ્તા ખાવું. એક મુટ્ઠી પિસ્તામાં 1.11 મિલી ગ્રામ આયરન હોય છે. 
 
5. મગફળી  
જો તમે સૂકામેવા નથી ખાઈ શકતા તો તમે મગફળીનો સેવન કરી શકો છો. એક મુટ્ઠી મગફળીમાં 1.3 મિલીગ્રામ મિનીરલ્સ હોય છે.