શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 18 જુલાઈ 2018 (12:12 IST)

રોજ એક નાસપતી ખાવું જોઈએ, નાસપતીથી ઘણા રોગો ને દૂર કરી શકાય છે

- વરસાદની મોસમમાં નાશપતિથી  ઘણા રોગો ને દૂર કરી શકાય છે. નાશપતીમાં સફરજન જેવા ઔષધીય ગુણધર્મો જોવા મળે છે ,એમાં  વિટામિન્સ,એંજાઈમ અને અને પાણીમાં દ્રવ્ય રેસા પુષળ પ્રમાણમાં જોવા મળે છે. 
- નાશપતિ ઝેરીલા પદાર્થ અને રસાયણોના સંપર્કમાં આવવાથી મોટા આંતરડાની કોશિકાઓની રક્ષા કરે છે. આનુ જ્યુસ દિવસમાં બે વાર પીવાથી કફ ઓછો થઈને ગળાની ખરાશ દૂર કરે થાય છે.  
-આ ખાવાથી શરીરનો  ગ્લુકોઝ ઊર્જામાં  રૂપાંતરિત થાય છે.જયારે  તમે થાક અનુભવો તો નાશપતી ખાવ તમને તરત જ ઊર્જા મળશે .નાશપતીનો જ્યુસ શરીરના તાપમાન ઓછો કરી તાવમાં  રાહત આપે  છે.
 
-કમરના દુખાવામાં પણ નાસપતી ફાયદાકારી હોય છે. 
 
-નાસપતીમાં વધારે માત્રામાં બોરોન હોય છે. બોરોન હાડકામાં કેલિશ્યમને બનાવી રાખવામાં મદદ કરે છે.
 
- નાસપતીમાં ભરપૂર માત્રામાં આયન રહેલું હોય છે. જે હિમોગ્લોબીનના સ્તરને વધારે છે. જો કોઈ એનીમિયાથી પીડિત હોય તો તેને રોજ એક નાસપતી ખાવું જોઈએ.
 
-નાશપતીનું સેવન પેટમાં ઘણું લાભકારી છે. આમા ભરપૂર માત્રામાં ફાઈબર  હોય છે. જેનાથી પાચન ક્રિયામાં સુધારો થાય છે.