1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ન્યૂયોર્ક. , બુધવાર, 21 સપ્ટેમ્બર 2016 (12:47 IST)

દુનિયાથી જુદા પડેલા પાક.એ બતાવી અકડ, બોલ્યુ કાશ્મીર અમારી માટે મુદ્દો નહી 'મિશન' છે

પાકિસ્તાનને દુનિયામાં જુદુ કરવાની ભારતની કોશિશ વચ્ચે ઈસ્લામાબાદે એકવાર ફરી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. યૂનાઈટેડ નેશંસમાં પાક રિપ્રેજેંટેટિવ ડો. મલીહા લોધીએ કહ્યુ કે કાશ્મીર અમારી માટે હવે મુદ્દો નથી પણ મિશન કાશ્મીર બની ગયુ છે. નવાઝ શરીફના યૂએસ પ્રવાસનો આ એકમાત્ર એજંડા છે. બીજી બાજુ મલીહાએ એટમી પ્રોગ્રામ પર રોક લગાવવાની અમેરિકાની સલાહને પણ નકારી દીધી.  તેમણે કહ્યુ કે પાકિસ્તાન પોતાના એટમી પોગ્રામને લિમિટેડ નહી કરે. ઉલ્લેખનીય છે કે મંગળવારે યૂએસના વિદેશ મંત્રી જૉન કેરીએ શરીફને ન્યૂક્લિયર વેપન્સ પોગ્રામ પર પણ લગામ લગાડવા કહ્યુ હતુ.. બીજુ શુ શુ કહ્યુ પાકિસ્તાને.. 
 
- પાકિસ્તાની મીડિયાની રિપોર્ટ મુજબ લોધીએ બુધવારે ન્યૂયોર્કમાં પ્રેસ બ્રીફિંગમાં મિશન કાશ્મીરની વાત કરી. 
- પાકિસ્તાનની તરફથી આ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે ભારત પાકને દુનિયાથી જુદી કરવાની કોશિશમાં લાગ્યુ છે. 
- બીજી બાજુ મલીહાએ પાકિસ્તાની એટમી પોગ્રામ પર પણ અકડ બતાવી. તેમણે કહ્યુ કે જૉન કેરી જે પ્રકારની આશા કાશ્મીર પાસે કરી રહ્યા છે તેવી આશા ભારત પાસે પણ કરવી જોઈએ. 
- ઉલ્લેખનીય છે કે નવાઝ શરીફ 71માં યૂએન જનરલ અસેંબલીમાં બુધવારે રાત્રે સ્પીચ આપશે. એવુ કહેવાય છે કે તેઓ કાશ્મીરનો મુદ્દો ઉઠાવી શકે છે. 
 
ભારતના સમર્થનમાં કયા દેશે શુ કહ્યુ ? 
 
- યૂએન સિક્યોરિટી કાઉંસિલના 5 પરમાનેંટ મેબર્સમાંથી 4 (અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન અને રૂસ) ભારતને સાર્વજનિક રીતે સપોર્ટમાં આવ્યા છે. 
 - જર્મની પણ નવી દિલ્હી સાથે છે. મંગળવારે ઈંડિયન ફોરેન મિનિસ્ટ્રીની તરફથી આ દેશોના નિવેદન રજુ કરવામાં આવ્યા. 
 - બીજી બાજુ અફગાનિસ્તાન અને બાંગ્લાદેશ પણ આ વર્ષે નવેમ્બરમાં ઈસ્લામાબાદમાં થનારી  SAARC સમિટનો બોયકોટ કરી શકે છે. 
 
 #અમેરિકા- પોતાની જમીનને આતંકવાદીઓ માટે 'સેફ હેવન'  ન બનવા દે પાક 
 
- જૉન કેરે અને નવાઝ શરીફ વચ્ચે મંગળવારે 71માં યૂએન જનરલ અસેંબલીથી જુદી એક મીટિંગ થઈ. આ અવસર પર શરીફે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે આ મુદ્દા પર અમેરિકાની મદદ માંગી. 
- પછી યૂએસ ડિપાર્ટમેંટના ડિપ્ટી સ્પોક્સપર્સન માર્ક ટોનરે આ મીટિંગની માહિતી આપી. ટોનરે જણાવ્યુ - કૈરીએ શરીફને કહ્યુ કે તે આતંકવાદી સંગઠનોનો અસરકારક રીતે નિપટારો કરે. પાકિસ્તાને પોતાની જમીન આતંકવાદીઓ માટે સુરક્ષિત ઠેકાણુ ન બનવા દેવુ જોઈએ. 
- કૈરીએ શરીફને ન્યૂક્લિયર વેપન્સ પોગ્રામ પર પણ લગામ લગાવવાનુ કહ્યુ.