શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 27 જાન્યુઆરી 2009 (16:44 IST)

એલટીટીઇ પ્રતિ કોઇ હમદર્દી નથી - પ્રણવ

PIB

ભારત આતંકવાદ વિરૂધ્ધ લડવા માટે મક્કમ છે અને દરેક આતંકવાદી સંગઠનો પ્રતિ ભારતનો વિરોધ છે એવો હુંકાર કરી વિદેશ મંત્રી પ્રણવ મુખર્જીએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, આતંકવાદી પ્રવૃત્તિ કરતા એલટીટીએ પ્રતિ ભારતને કોઇ હમદર્દી નથી.

બે દિવસની શ્રીલંકા મુલાકાતે જઇ રહેલા પ્રણવ મુખરજીએ આજે પત્રકારોને જણાવ્યું હતું કે, આતંદવાદી પ્રવૃતિ કરતા તમામ સંગઠનો સામે વિરોધ છે. અને શ્રીલંકામાં થઇ રહેલી આ પ્રવૃત્તિ અંગે રાષ્ટ્રપતિ મહીન્દા રાજપક્સા સહિત નેતાઓ સાથે વાર્તાલાપ કરાશે.