Last Modified: ઈસ્લામાબાદ , રવિવાર, 30 નવેમ્બર 2008 (11:55 IST)
પાક. આઈએસઆઈ પ્રમુખ નહી મોકલે
મુંબઈમાં આતંકવાદી હુમલાઓની તપાસના સંબંધમાં પાકિસ્તાનના આઈએસઆઈ પ્રમુખને ભારત મોકલવાના મુદ્દા પર પલટી ગયા અને હવે તેમના સ્થાન પર પાકિસ્તાની ખુફિયા એજંસીના પ્રતિનિધિને મોકલવાનો નિર્ણય કર્યો છે.
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારી અને સેના પ્રમુખ જનરલ અશફાક પરવેઝ કિયાનીની વચ્ચે મોડી રાત્રે થયેલી બેઠકમાં આ સંબંધે નિર્ણય લેવામાં આવ્યો. રાષ્ટ્રપતિ કાર્યાલયમાં થયેલી બેઠકમાં સ્થાનીક સમય મુજબ વહેલી વહેલી સવારે દોઢ વાગે પ્રધાનમંત્રી યૂસુફ રઝા ગિલાની પણ આમા જોડાયા.
પ્રધાનમંત્રી રહેઠાણના પ્રવક્તાએ જણાવ્યુ કે મુંબઈ પર આતંકવાદી હુમલાની તપાસ સંબંધે આઈએસઆઈના મહાનિદેશક લેફિટનેંટ જનરલ શુજા પાશાના સ્થાન પર આઈએસઆઈના પ્રતિનિધિ ભારત મોકલવામાં આવશે.