પોલીસ એકેડેમી પોલીસના કબજામાં
બધા આતંકવાદીઓ પકડાયા
સોમવારે લાહોર નજીકનાં મનવાના પોલીસ એકેદમીમાં સોમવારે સવારે ઘુસેલા આતંકવાદીઓને સરકારે પકડી લીધા છે. આ સાથે કલાકો લાંબા ચાલેલાં ડ્રામાનો અંત આવ્યો છે.આતંકવાદીઓએ અકાદમીમાં પોલીસનાં ડ્રેસમાં અંદર ઘુસ્યા હતા. તેમણે 25 જેટલાં પોલીસ જવાનોની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ લાહોર પોલીસ અને પાકિસ્તાની રેન્જર્સે પોઝીશન સંભાળી લીધી હતી. જેમાં બે આતંકવાદીઓનાં મોત થયા હતા. જ્યારે એક આતંકવાદી જીવતો પકડાઈ ગયો હતો.બપોરે ચાર વાગ્યાની આસપાસ એકેદમીની અંદર રહેલાં પાકિસ્તાની રેન્જર્સનાં જવાનોએ એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા. અને, ઓપરેશન સફળ રહ્યું હોવાના સંકેતો આપ્યા હતા. ત્યારબાદ તેમણે સમગ્ર એકેડમીને પોતાના કબજામાં હોવાની જાહેરાત કરી હતી. આ સાથે બંધકોને પણ છોડાવી દેવામાં આવ્યા છે. જો કે આતંકવાદીઓની ચોક્કસ સંખ્યા અને તેમનો હેતુ જાણવા મળ્યા નથી.