બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: સાના , ગુરુવાર, 11 ડિસેમ્બર 2008 (10:56 IST)

સમુદ્રી લુટારૂઓ ફરી ત્રાટક્યા

યમનની બે નૌકાઓનું કર્યું અપહરણ

સોમાલી સમુદ્રી લુટારૂઓએ યમનના બે માછલીમાર નૌકાઓ અને તેના ચાલક સહિત 17 સભ્યોનું અપહરણ કરી લીધું છે.

એક સરકારી વેબ સાઇટે ગઇ કાલે તટરક્ષક દળના આધારે આ વિગત આપી છે. તેમણે કહ્યું છે કે, નૌકાઓનું અપહરણ અદનની ખાડીમાં કરવામાં આવ્યું. બંને નૌકાઓ પર ચાલક સહિત 17 સભ્યો હતો.

સમુદ્રી લુટારૂઓએ હુમલાથી એક નાની બોટમાં છટકી આવેલા કેટલાક સભ્યોએ આ વિગતો આપી હતી. અદનની ખાડીમાં સમુદ્રી લુટારૂઓએ આ વર્ષમાં અત્યાર સુધીમાં ઓછામા ઓછા સોથી વધુ હુમલા કર્યા હશે. જેમા અપહરણ બાદ મોટી રકમ પડાવવામાં આવે છે.