ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: ગાંધીનગર , સોમવાર, 28 સપ્ટેમ્બર 2009 (18:43 IST)

નરેન્દ્ર મોદીની શસ્ત્ર પૂજા

વિજયાદશમીના પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી નિવાસસ્થાને મંત્રોચ્ચાર વચ્ચે શસ્ત્રોની પૂજા કરી. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વિજયાદશમી પ્રસંગે પોતાની સુરક્ષામાં તૈનાત તમામ કમાંડોજના હથિયારોની પૂજા કરી. આ પ્રસંગે મુખ્યમંત્રી નિવાસસ્થાન પર સ્ટેજ શસ્ત્રોથી સજાવામાં આવ્યું હતું જેમાં પારંપરિક તલવારો, તીર-કામઠા, ગદાથી લઈને અત્યાધુનિક એમપી-7 ગન, ગ્લોક પિસ્તોલ અને એકે સીરીજની રાઈફલો પણ હાજર હતી.

પુજારીના મંત્રોચ્ચરણ વચ્ચે મોદીએ પૂરી તન્મયતાથી આ હથિયારોની આરતી ઉતારી અને પૂજાનો સિલસિલો પૂર્ણ થયા બાદ મોદીએ ભારતીય સંસ્કૃતિમાં શસ્ર અને શાસ્ત્રના સંબંધો પણ સમજાવ્યાં. આ પ્રસંગે તે રામસેતુના મુદ્દા પર જોરદાર બોલ્યાં.

અત્રે જણાવાનું કે, મોદીને ઝેડ પ્લસ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. એવામાં અસંખ્ય જવાનો તેમની સુરક્ષામાં દરેક વખતે તૈનાત રહે છે. વિજયાદશમીના દિવસે આ જવાનોના હથિયારોની પૂજાનો સિલસિલો મોદીએ અમુક વર્ષો પહેલા શરૂ કર્યો છે.