ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 13 માર્ચ 2016 (14:46 IST)

હું સાધ્વી પ્રાચીને પ્રેમ કરું છું ક્યારે એ મારા પ્રેમને લવ જેહાદનું નામ ના આપી દે. - આઝમ ખાન

ઉત્તર પ્રદેશના શહેરી વિકાસ મંત્રી આઝમ ખાન ફરી એક વખત વિવાદીત નિવેદન આપીને ફસાઇ ગયા છે. આઝમ ખાને શનિવારે આગરામાં એક કાર્યક્રમ દરમિયાન સવાલનો જવાબ આપતાં કહ્યું કે ‘સાધ્વી પ્રાચીને પ્રેમ કરું છું કોઇ એને લવ જેહાદનું નામ ના આપશો’ આઝમ ખાને કહ્યું કે હું તો સાધ્વી પ્રાચીને પ્રેમ કરું છું ક્યારે એ મારા પ્રેમને લવ જેહાદનું નામ ના આપી દે. આટલે નહીં અટકાં તેમણે કહ્યું કે મારું તો માનવું છે તે દેશમાં જેટલા કુંવારા અને કુંવારીયઓ છે તેમના લગ્ન કરાવો ત્યારે જ લોકોમાં રહેલું ફ્રસ્ટેશન દૂર થશે.

આગ્રામાં વોટર પ્લાન્ટના ઇન્સપેક્શન માટે આવેલા આઝમ ખાને એક પછી એક કેટલાક વિવાદાસ્પદ નિવેદન આપ્યા હતા. તેમણે કહ્યું કે, જ્યાર મોદી ચા વેચીને પીએમ બની શકે છે તો હું પણ ચા વેચી શકું છું. હું નાયબ સીએમ નહીં, પીએમ બનવા માગું છું. તેમણે કહ્યું કે, હું તો ખુદ કહું છું કે, તાજમહેલ શિવ મંદિર છે. પરંતુ શિવસેના સામે આવીને આ વાતને કહે.

તો બીજીતરફ સાધ્વી પ્રાચીએ આઝમ ખાનના આ નિવેદન પર કહ્યું કે, આઝમ માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે. આઝમ ચરિત્રહિન અને ગંદી માનસિકતાવાળા વ્યક્તિ છે