શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

અંજલિ વાઘમારેનાં નિવાસ પર હુમલો

શિવસેનાનાં નવ જેટલા કાર્યકર્તાઓની વકીલ અંજલિ વાઘમારેના નિવાસસ્થાન પર હુમલો કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

એક વિશેષ કોર્ટે સોમવારે અંજલિ વાધમારેને મુંબઈ આતંકી હુમલામાં જીવિત પકડાયેલા આતંકવાદી અજમલ આમિર કસાબની સુનાવણી માટે વકીલ નિમ્યાં હતાં.

વરિષ્ઠ પોલીસ ઈંસ્પેક્ટર બી વી વર્લીકરે કહ્યું હતું કે નવ શિવસૈનિકોને સોમવારે રાત્રે ગેરકાનૂની રીતે એકત્ર થવા અને ઘરમાં ઘુસવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. તે વર્લી પોલીસ કેમ્પમાં વાઘમારેનાં નિવાસ પાસે પ્રદર્શન કરી રહ્યાં હતાં.

તેણે કહ્યું કે હતું કે આ લોકોને બપોર બાદ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે.