શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: હૈદરાબાદ , બુધવાર, 21 જાન્યુઆરી 2009 (09:18 IST)

અઝહરૂદ્દીન પણ રાજકારણમાં પ્રવેશશે

ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન મહમંદ અઝહરૂદ્દીન પણ રાજનીતિમાં ઝંપલાવે તેવા અહેવાલ છે. અહેવાલ મુજબ અઝહરૂદ્દીન તાજેતરમાં જ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી મળ્યા હતા. તે વેળા અઝહરે આગામી ચુંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

ભારતીય ટીમનાં પૂર્વ કેપ્ટન અઝહરૂદ્દીન કોંગ્રેસની ટીકીટ પર પોતાના ગૃહ શહેર હૈદરાબાદ બેઠક પરથી લોકસભાની ચુંટણી લડે તેવી શક્યતા છે. 90નાં દાયકામાં ફિક્સીંગને કારણે વિવાદમાં રહેલાં અઝહરૂદ્દીન રાજકારણમાં આવવાનું વિચારે છે.

1984માં પોતાની કારકીર્દી શરૂ કરનાર અઝહરૂદ્દીને 99 ટેસ્ટ મેચમાં 6215 રન બનાવ્યા હતા, તો 333 વન ડે 9378 રન બનાવ્યા હતા.