શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

અમે એનસીપીને એનડીએમાં નહી ઘૂસવા દઈએ - શિવસેના

.
P.R
શરદ પવાર અને તેમની નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટીની બીજેપીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સાથે નજીક હોવાના સમાચાર મળતા જ એનડીએનું ઘટક દળ શિવસેના ભડક્યુ છે. પાર્ટીએ સ્પષ્ટ કર્યુ છે કે એનડીએમાં એનસીપી માટે કોઈ સ્થાન નથી અને સ્કોપ પણ નથી. શિવસેના તેને ક્યારેય એનડીમાં નહી આવવા દે.

શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે કહ્યુ કે એનડીએની વાત છોડો મહારાષ્ટ્રમાં જ્યા એનસીપીનો બેઝ છે ત્યા એનસીપી માટે કોઈ સ્થાન નથી. રાઉતે કહ્યુ કે 15 વર્ષથી મહારાષ્ટ્રમાં એનસીપી-કોંગ્રેસની સરકાર છે અને આ દેશની સૌથી ભ્રષ્ટ સરકાર છે. દેશના સૌથી મોટા ગોટાળા કોઈ રાજ્યમાં થયા હોય તો તે મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રના લોકો ઈચ્છે છે કે એનસીપી અને કોંગ્રેસને મહારાષ્ટ્રથી દૂર કરવામાં આવે તો પછી એનસીપી એનડીએમાં કેવી રીતે આવી શકે ?