મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

અમેરિકા પર વિશ્વાસ ન કરી શકાય:કરાત

માકપાના મહાસચિવ પ્રકાશ કરાતે આજે કહ્યુ કે પાકિસ્તાન પર આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવા પર દબાણ માટે ભારતે અમેરિકા પર વિશ્વાસ મૂકવો જોઈએ નહી.

તેમણે કહ્યુ ભારતે આતંકવાદીઓ સામેના જેટલા પણ ઠોસ પૂરાવા છે તેને લઈને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પાસે મદદ માંગવી જોઈએ.

તેમણે વધારેમાં કહ્યું હતું કે ભારત અમેરિકા પાસેથી કોઈ પણ મદદની આશા રાખી શકે નહિ. તેમને એવું પણ કહ્યું હતું કે આતંકવાદને રોકવા માટે આપણે અમેરિકા પર વિશ્વાસ ન કરી શકીએ. આપણે તે બાબતે તેમની પર વિશ્વાસ ન કરી શકીએ કે પાકિસ્તાનની જમીન પરથી આતંકવાદી પ્રવૃત્તિઓને સમાપ્ત કરવા માટે અમેરિકા તેની પર દબાણ નાંખશે.