શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 25 ઑક્ટોબર 2013 (14:14 IST)

આજે ઝાંસીમાં મોદીની વિજય શંખનાદ રેલી, રાહુલ ગાંધી નિશાના પર

P.R
ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી શુક્રવારે યુપીના ઝાંસીમાં બીજી વિજય શંખનાદ રેલીની સબોધિત કરશે. એવુ કહેવાય રહ્યુ છે કે રેલીમાં તેમના નિશાના પર કેન્દ્ર સરકાર અને કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઉપરાંત બુદેલખંડની દુર્દશા પણ હશે.

એવુ પણ કહેવાય રહુ છે કે કાનપુરની રેલીમાં જે રીતે મોદીએ ક્ષેત્રીય સમસ્યાઓને મહત્વ આપ્યુ હતુ, એ જ રીતે ઝાંસીમાં તેઓ બુંદેલખંડ પેકેજને બહાને લોકોને આકર્ષિત કરતા જોવા મળશે. સાથે જ આ મુદ્દા પર કેન્દ્રની સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (સંપ્રગ) અને રાજ્યની સમાજવાદી પાર્ટી (સપા) સરકારને ઘેરશે.

અહીની ચાર લોકસભા સીટો પર ચાલી રહેલ ધમાસાન અને દળ બદલ રાજનીતિ વચ્ચે વિકાસનો મુદ્દો ઉઠાવી ભાજપા ફાયદાની આશા કરી રહી છે.

પ્રદેશના અધ્યક્ષ ડો. લક્ષ્મીકાંત વાજપેયીનુ કહેવુ છે કે બુંદેલખંડ પેકેજની લૂટમાં સપા, બહુજન સમાજ પાર્ટી(બસપા) અને કોંગ્રેસ સંયુક્ત રૂપે જોડાશે.