ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|

ઉત્તર ભારતીયો મુદ્દે રાષ્ટ્રપતિ હસ્તક્ષેપ કરે

બિહાર પ્રદેશ જનતા દળે મહારાષ્ટ્રમાં ઉત્તર ભારતીયો ઉપર થઇ રહેલા હુમલાઓને ગંભીર જણાવતાં આ મામલે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલને હસ્તેક્ષેપ કરવા માંગ કરી છે.

પાર્ટીના રાજનીતિક દળોએ આ મુદ્દે એક જુથ થઇ મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના મનસેના પ્રમુખ રાજઠાકરે જેના સમાજમાં નફરત ફેલાવનારા તત્વો વિરૂધ્ધ અભિયાન ચલાવવાનુ આહવાન કર્યું છે અને બિહારની જનતાને સંયમ રાખવા માટે અપીલ કરી છે.

પાર્ટીના મુખ્ય મહાસચિવ અમરેન્દ્ર પાઠકે આજે કહ્યું હતું કે, રાજ ઠાકરેના કારનામા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા ઉપર ખતરા સમાન છે માટે આવા મામલે રાષ્ટ્રપતિએ હસ્તક્ષેપ કરવો જોઇએ.