ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

કરકરેને મારી નાંખવાની ધમકી મળી હતી

મહારાષ્ટ્ર એટીએસનાં વડા હેમંત કરકરેને મારી નાંખીને આતંકવાદીઓને પોતાની ધમકી સાચી સાબિત કરી છે.

મુંબઈ અને મહારાષ્ટ્રનાં એન્ટી ટેરરીસ્ટ સ્કવોર્ડનાં વડા હેમંત કરકરેને ગઈકાલે જ ધમકી મળી હતી. આતંકવાદીઓએ મંગળવારે ફોન કરીને ધમકી આપી હતી કે તેઓ એટીએસ ચીફ કરકરેને બોમ્બથી ઉડાવી દેવાની ફોન પર ધમકી આપી હતી.

આ અંગે કરકરેએ પ્રતિક્રિયા પણ આપીને જણાવ્યું હતું કે મને આવી ધમકીઓનો ડર નથી. બુધવારે રાત્રે આતંકવાદીઓનાં હુમલા બાદ તેઓ ખુદ કમાન્ડો કાર્યવાહી પર ધ્યાન રાખવા હાજર હતાં.

તેમણે કમાન્ડો ઓપરેશનને લીડ કરતાં પોતે બુલેટ પ્રુફ જેકેટ અને હેલ્મેટ ધારણ કર્યું હતું. તે સમયે કોઈને સ્વપ્ને ખ્યાલ ન હતો કે તેમની ઉપર ખરેખર હુમલો થઈ શકે છે. ત્યારે તાજ હોટલમાં છુપાયેલા આતંકવાદીઓનાં અંધાધુંધ ફાયરીંગમાં કરકરેને ત્રણ ગોળીઓ વાગી હતી. જેને કારણે તેમનું કરૂણ મોત થયું હતું.