મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

કુમાર વિશ્વાસ માફી નહી માંગે તો સમર્થન પાછુ ખેંચાશે - શોએબ ઈકબાલ

ગુજરાત સમાચાર

P.R
જેડીયૂના ધારાસભ્ય શોએબ ઈકબાલે દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારને સમર્થન પરત લેવાનુ અલ્ટીમેટમ આપી દીધુ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના નેતા કુમાર વિશ્વાસ અને જેડીયૂ ધારાસભ્ય શોએબ ઈકબાલ વચ્ચે વિવાદ ઉભો થયો છે.

તાજેતરમાં જ એક વીડિયો સામે આવ્યો જેમા કુમાર વિશ્વાસે મોહરમને લઈને કેટલીક વિવાદિત વાતો કહેતા બતાવાય રહ્યા છે. શોએબ ઈકબાલનુ કહેવુ છે કે આ વાતો વાંધાજનક છે અને જો કુમાર વિશ્વાસ તેના પર માફી નહી માંગે તો સરકાર તરફથી તેઓ પોતાનુ સમર્થન્ન પરત લેશે. જો કે તેમના સમર્થન પાછુ ખેચવાથી સરકારને કોઈ ફરક પડવાનો નથી, કારણ્કે કોંગ્રેસના સમર્થનથી જ કેજરીવાલની સરકાર બહુમતમાં છે.