મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: પદરૌના , રવિવાર, 29 માર્ચ 2009 (12:36 IST)

કોંગ્રેસ ચર્ચા મંચ પર આવે - અડવાણી

કાગ્રેસના વડાપ્રધાન પદના દાવેદાર મનમોહનસિંઘે, ટેલીવિઝન પર ભાજપના તે જ પદના દાવેદાર અડવાણીની જાહેર ચર્ચાની માંગ ઠુકરાવ્યા બાદ અડવાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન ચર્ચા કરવા ન માંગતા હોય તો તેમણે પક્ષના વડા સોનિયા ગાંધીને આ કાર્ય કરવાનું સાપવું જોઈએ.

આ સંદર્ભે બોલતા અડવાણીએ જણાવ્યું હતું કે, જેમ વિદેશોમાં રાષ્ટ્રના વડાપદના દાવેદારો જાહેર ચર્ચા કરે છે તે જ રીતે આપણે ત્યાં પણ ચર્ચા થવી જોઈએ. ભાજપની જાહેર રેલીને બદલે ચૂંટણી પંચે આવી જાહેર ચર્ચા યોજવી જોઈએ. તેમ અડવાણીએ અત્રે પક્ષની જાહેર સભામાં જણાવ્યું હતું.

અડવાણીએ સપ્તાહની શરૂઆતમાં વડાપ્રધાનને જાહેર ચર્ચા કરવા પડકાર કર્યો હતો. તેનો વડાપ્રધાને ઈન્કાર કરતા અડવાણીએ તે ફરજ સોનિયાને સાપવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આમ કરવાથી લોકો એ બાબતે નિર્ણય કરી શકશે કે વડાપ્રધાન પદ માટે સારા ઊમેદવાર કોણ છે.