રાજસ્થાનમાં એક ચુંટણી સભાને સંબોધિત કરતાં તેમણે જણાવ્યું હતું કે દેશમાં આતંકવાદની ઘટનાઓ મંજૂર નથી. આતંકવાદને કારણે દેશનાં મહાન નેતાઓને ગુમાવ્યા છે. ગાંધીએ આ પ્રસંગે મુંબઈમાં શહિદ થયેલાઓ પ્રત્યે શ્રધ્ધાંજલિ પણ અર્પણ કરી હતી.
આ સભામાં ગાંધીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ખેડૂતો અને ગરીબો માટે સંવેદનશીલ રહી છે. તેમજ તેને મદદ કરવા તત્પર રહી છે. તેમજ તેના માટે છેલ્લાં પાંચ વર્ષોમાં રૂ.60,000 કરોડની ખેડૂતોની લોન માફ કરી દેવામાં આવી છે.