Last Modified: જમ્મૂ , શુક્રવાર, 20 જૂન 2008 (11:36 IST)
ખરાબ હવામાનને લીધે અમરનાથ યાત્રા સ્થગીત
જમ્મૂ. અમરનાથ ગુફાની આસપાસ અને દક્ષિણ કાશ્મીર હિમાલયમાં આવેલ ગુફા સુધી પહોચવાના રસ્તામાં ભારે વરસાદ થવાને લીધે અમરનાથ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે.
અધિકારીક સૂત્રોએ જણાવ્યું કે જમ્મૂના અનંતનાગ જીલ્લાથી ગુફા માટે આજે સવારે નવા જથ્થાને જવા દેવામાં આવ્યો નથી.
પહેલગાવ અને બાલટાલથી પવિત્ર ગુફાના રસ્તામાં વરસાદને લીધે ચિકાશ થઈ ગઈ છે. બે મહિના સુધી ચલનારી અમરનાથ યાત્રા 18 જુનથી શરૂ થઈ છે.