ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

ગાંધીજી પર ધારાવાહિક બનશે

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનાં જીવનનાં જુદા જુદા પાસાઓને રજુ કરતી ઘણી ફિલ્મો બની ચુકી છે. પણ હવે એક ટીવી સીરીયલ તૈયાર થઈ રહી છે. આ સીરીયલ અંગ્રેજી અને હિન્દીમાં એકસાથે બનશે.

આ સીરીયલનું નિર્દેશન દેવેન્દ્ર ખંડેલવાલ કરશે. આ સીરીયલનાં 26 હપ્તા બની ચુક્યાં છે. અને, બીબીસી પર તેનું અંગ્રેજી વર્ઝન દર્શાવવામાં આવશે. મહાત્મા ગાંધીની ભૂમિકા માટે 60 વર્ષીય અભિનેતા ડૉક્ટર સૂરજની પસંદગી કરવામાં આવી છે.

ખંડેલવાલનાં જણાવ્યામુજબ આ ધારાવાહિક પર છેલ્લાં પાંચ વર્ષથી કામ ચાલતું હતું. દરમિયાન નાગપુરમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવ ગાંધી પેનોરમાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જુદા જુદા દેશોમાં ગાંધી ઉપર બનેલી ફિલ્મો દર્શાવવામાં આવશે.