શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: ગુરુવાર, 31 જુલાઈ 2008 (18:56 IST)

ગ્રેજ્યુઈટી ફંડને કેબીનેટની મંજુરી

કેન્દ્રીય કેબીનેટ આજે સંસદની સ્થાયી સમિતિએ ગ્રેજ્યુઈટી ફંડ પરનાં સંશોધનને મંજુર આપી છે. મંત્રી પ્રિયરંજનદાસ મુન્શીએ જણાવ્યું હતું કે વિધેયક 2007ને ફરીથી લાવવાનો પ્રસ્તાવને પણ કેબીનેટે મંજુરી આપી છે. આ વિધેયક હાલ વિચારણા હેઠળ છે.

દાસમુન્શીએ જણાવ્યું હતું કે આ નિર્ણય થી દેશનાં શિક્ષકોને 3 એપ્રિલ, 1997થી ગ્રેજ્યુઈટીની ચુકવણીને કાયદા હેઠળ લાવવામાં આવશે.

આ સાથે બીજા એક નિર્ણયમાં સરકારે મહિલા સ્વયંસેવી સદસ્યોને વીમા કવચ પુરૂ પાડવાનાં ઉદ્દેશ્યથી જનશ્રી વીમા યોજના અંતર્ગત આવરી લીધા છે. તેના માટે સરકારે રૂ.500 કરોડ ની ફાળવણી કરી છે.

આ નિર્ણયથી મૃત્યુ અથવા સ્થાયી રીતે અપંગ થયેલા મહિલા સ્વયંસેવીને વીમાનું કવચ મળશે. તેમજ દરેક સદસ્યે વાર્ષિક રૂ. 100નું પ્રીમીયમ ભરવું પડશે. જ્યારે બાકીનાં 50 ટકા પ્રીમીયમ કેન્દ્ર ભોગવશે. આ યોજનાથી અઢી લાખ મહિલા સ્વયંસેવી સંગઠનોને આવરી લેવામાં આવ્યા છે.