Last Modified: નવી દિલ્લી , સોમવાર, 21 સપ્ટેમ્બર 2009 (16:35 IST)
ઘરે પાછા ફરીને ખુશ છે અમિતાભ
લાંબો સમય સિંગાપુરમાં વિતાવ્યા પછી અમિતાભ બચ્ચન મુંબઈ પાછા આવ્યા છે. એકવાર ફરી પોતાના ઘરે 'પ્રતિક્ષા'માં પગ મુકીને અમિતાભ ઘણા ખુશ છે.
પોતાની ખુશીને બ્લોગ પર વ્યક્ત કરતા અમિતાભે લખ્યુ છે - 'હા, હુ એકવાર ફરી મારા ઘરે પાછો આવ્યો છુ. પોતાના ઘરે રહેવાની જે ખુશી મળે છે, તે વ્યક્ત કરવી શક્ય નથી. આ એ સ્થાન છે જે મારુ પોતાનુ છે.
તેમણે લખ્યુ છે કે ભલે આ કોઈ ફાઈવ સ્ટાર હોટલ નથી અને તેમા વ્યવસાયિક રૂપે મળતી આરામદાયક અને ઠાઠવાળી કોઈ સુવિદ્યા પણ નથી, પરંતુ આ મારુ ઘર છે અને હું મારા ઘરને ખૂબ પ્રેમ કરુ છુ.
અમિતાભે લખ્યુ છે કે મને ખુશી છે કે મારી પુત્રી પોતાના બાળકો સાથે મારા ઘરે આવી છે. મારા ઘરે પાછા ફરવાથી અમારા કર્મચારીઓના ચહેરા ખીલી ગયા છે અને રસોડામાં મારા પસંદગીની રસોઈ બની રહી છે.